Top News

More Posts

   The Latest

Most Popular

વ્યારા તાલુકાના લોક પર્યટન ગોવાળદેવ ગામે આ ચોંકાવનારી ઘટના (SHOCKING NEWS) બનવા પામી છે જેમાં ફાંસો ખાધેલી હાલતમાં એક સાથે બે યુવકના મૃતદેહ મળી આવ્યા હતા. જેમાં સોમવારે સાંજે સાગના ઝાડ પર નાયલોનની દોરી વડે ફાંસો ખાધેલી (HANGING) હાલતમાં મળી આવતા ચકચાર મચી જવા પામી છે.. ખુબ જ ઓછા કિસ્સા (RARE CASE)માં જોવા મળતી ઘટના છે જેમાં એક સાથે બે યુવકો મૃત મળી આવ્યા હોય, જો કે સૂત્રો પ્રમાણે મિત્રના લગ્નમાં જવા નીકળેલા રૂપવાડાના આ યુવકો ગોવાળદેવ નજીકથી ફાંસો ખાધેલી હાલતમાં મળ્યા હતા.

મળતી માહિતી મુજબ રવિવારે રાતે વ્યારા તાલુકાના રૂપવાડા ગામે રહેતા બે યુવકો રાતે મિત્રના લગ્ન (MARRIAGE)માં જવાનું કહી મોટરસાયકલ (BIKE) પર નીકળ્યા હતા. અને સોમવારે પરત ન આવતા તેમની શોધખોળ આદરી હતી, જો કે યુવકો તો નહીં મળ્યા પણ એજ બે યુવકોની લાશ (DEAD BODY) વ્યારા તાલુકાના કાજણ ગામના ગોવાળદેવના મંદિર પાછળ સાગના ઝાડ પર નાયલોનની દોરી વડે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી.

રવિવારે ઘરેથી નીકળેલા યુવકોની લાશ સોમવારે સાંજે મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. બનાવની જાણ થતાં જ વ્યારા પોલીસ ઘટના સ્થળે જઈ ને બન્ને લાશોનો કબ્જો લઈ વ્યારા પીએમ રૂમમાં ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. સાથે જ અગમ્ય કારણસર અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ મૃતદેહ રૂપવાડા ગામના આંબલી ફળિયામાં રહેતા અનિલભાઈ લાલજીભાઈ ચૌધરી (21), અને જગદીશભાઈ રણજીતભાઈ ચૌધરી (22)નો હોવાનું જાણવા મળ્યું છે, અને ગત રવિવારે રાત્રે અનિલ અને જગદીશ તેમના ઘરેથી વ્યારાના કેળકુઈ ખાતે લગ્નમાં જવા બાઇક પર નીકળ્યા હતા. જે બાદ બીજા દિવસે પરત ઘરે ન આવ્યા હતા. અને બન્ને આશાસ્પદ યુવકોના મૃતદેહ મળ્યા છે, જેમાં મૃતદેહથી થોડા અંતરે જ યુવકની બાઇક પણ મળી આવી છે. હાલ તો પોલીસે તપાસમાં આપઘાત (SUICIDE) પાછળનું કારણ હજી અકબંધ છે. જો કે પોલીસ દ્વારા તપાસ કર્યા બાદ સાચી હકીકત બહાર આવે તેવી શક્યતા સેવાઈ રહી છે.

જો કે ખુબ ઓછું જોવા મળતી ઘટના બે યુવકોના મૃતદેહ મળી આવતા લોકોમાં ચર્ચા સાથે જ અનેક તર્ક વિતર્ક સર્જાય રહ્યા છે, કે આ બન્ને યુવકે એક બીજાના પ્રેમ સંબંધમાં સમાજના ડરથી આ પગલું ભર્યું છે કે પછી કોઈક ભેદી વ્યક્તિએ મોકો મેળવી તેમનું કાળાશ કાઢી નાખ્યું છે?

To Top