મંગળવારે (૩ ફેબ્રુઆરી) ભારતીય રૂપિયો 90.20 પર પહોંચ્યો જે યુએસ ડોલર સામે 3 વર્ષમાં...
સુરત મહાનગર પાલિકા દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ માટે વર્ષ 2026-27 માટેનું 455.80 કરોડનું...
સુરત મહાનગર પાલિકાના ૨૦૨૬-૨૭ના ડ્રાફ્ટ બજેટમાં મધ્યમવર્ગના લોકો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ...
સોમવારે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને યુએસ વચ્ચે લાંબા સમયથી રાહ જોવાતી વેપાર...
સુરત મહાનગરપાલિકા કમિશનર દ્વારા વર્ષ 2026-2027 માટેનું રૂપિયા 10,593 કરોડનું બજેટ મંગળવારે 3 ફેબ્રુઆરીએ...
એમએસયુમાં સચવાયેલા ભગવાન શ્રી બુદ્ધના પવિત્ર અવશેષો શ્રીલંકન નૂતન વર્ષે કોલંબો પહોંચશે શહેર પોલીસ દ્વારા પવિત્ર અવશેષોને ગાર્ડ ઓફ ઓનર આપી કરાયું...
પાણીના પ્રોજેક્ટ્સ માટે ‘બ્લુ બોન્ડ’ આવશે, હેરિટેજ સર્કિટ અને 12 હજાર નવા આવાસોની મોટી જાહેરાત વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દ્વારા વર્ષ 2026-27નું...
સુરત મહાનગર પાલિકા દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ માટે વર્ષ 2026-27 માટેનું 455.80 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. જેમાં સૌથી...
સુરત મહાનગર પાલિકાના ૨૦૨૬-૨૭ના ડ્રાફ્ટ બજેટમાં મધ્યમવર્ગના લોકો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ નવા 9820 મકાનો બનાવવામાં આવશે. EWS-I કેટેગરીના 6890...
સોમવારે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને યુએસ વચ્ચે લાંબા સમયથી રાહ જોવાતી વેપાર સોદાની જાહેરાત કરી. ટ્રમ્પે કહ્યું કે અમેરિકાએ ભારત...
ગુજરાત મિત્ર ન્યુઝ, ડભોઇ: ડભોઇ નગરના મોતીબાગ વિસ્તારમાં સમગ્ર શિક્ષા યોજના હેઠળ નિર્માણ કરાયેલ કુમારશાળા નંબર 01નું નવીન બિલ્ડિંગ લોકાર્પણના ગણતરીના દિવસોમાં...
સુરત : જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના ખમીદાણા ગામમાં સાત મહિના પહેલા રહસ્યમય રીતે ગુમ થયેલા 65 વર્ષીય સુમરીબેન ઉર્ફે મણીબેન બારૈયાના કેસમાં...
સુરત : સુરત શહેરના અઠવા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં માત્ર વાહન ઓવરટેક કરવા જેવી નજીવી બાબતે કેટલાક લબરમુછીયા...
સુરત : સુરત શહેરના પરવટ પાટિયા વિસ્તારમાં ધોળા દિવસે ચપ્પુની અણીએ કુરિયરબોયનું અપહરણ કરવામાં આવ્યું હતું. થોડા દિવસ પહેલા હોટલમાં બેસવા બાબતે...
ગાંધીનગર : કેન્દ્રીય બજેટ 2026માં દેશના આર્થિક વિકાસમાં અગ્રેસર રહેલા ગુજરાત રાજ્યને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ઔદ્યોગિક, વ્યાપારી અને માળખાકીય શક્તિ...
મુસાફરોથી ખીચોખીચ ભરેલી નાવડી પલટીગંભીરા બ્રિજ બંધ હોવાથી જોખમી મુસાફરી કરવા લોકો લાચાર; ક્ષમતા કરતા વધુ પેસેન્જરો બેસાડાતા કિનારા પાસે જ નાવડી...
શહેર વિકાસ માટે આઇકોનિક પ્રોજેક્ટ્સ પર વિશેષ ભારવડોદરા | તા. 3વડોદરા મહાનગરપાલિકાના કમિશનર અરુણ લહેશ બાબુએ વર્ષ 2026-27 માટેનું કર દર વિનાનું...
સુરત મહાનગરપાલિકા કમિશનર દ્વારા વર્ષ 2026-2027 માટેનું રૂપિયા 10,593 કરોડનું બજેટ મંગળવારે 3 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવ્યું. સુરતીઓ માટે રાહતના સમાચાર એ...
ગાંધીનગર : સીએમ ભૂપેન્દ્ર પટેલે રાજ્યના મહેસૂલી ક્ષેત્રે એક મહત્વપૂર્ણ અને ખેડૂતોને સીધો રાહત આપતો નિર્ણય કર્યો છે. રાજ્યમાં વિવિધ ઇનામી જમીનો...
ગાંધીનગર : ગુજરાત પર રહેલી ચક્રવાતી હવાના દબાણની સિસ્ટમની અસર હેઠળ ગુજરાતમાં આગામી 24 કલાક દરમ્યાન અરવલ્લી,ખેડા , આણંદ , પંચમહાલ ,...
ગાંધીનગર,તા.2ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગની દોરીથી ઘાયલ થયેલા અબોલ પક્ષીઓ માટે રાજ્ય સરકારે સંવેદનશીલતા અને માનવતાનો ઉત્તમ દાખલો બેસાડ્યો છે. વન વિભાગ અને...
ગાંધીનગર : પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્રિય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે રજૂ કરેલા નાણાકીય વર્ષ 2026-27નું ₹53.5 લાખ કરોડનું કદ ધરાવતું કેન્દ્રિય...
વડોદરા શહેરના કાશી વિશ્વનાથ તળાવને ખાલી કરવાની કામગીરી ચાલી રહી હોવાથી તેમાં વસવાટ કરતા જળચર જીવોના જીવન પર ગંભીર જોખમ ઊભું થયું...
મહિલાને ‘ડિજિટલ અરેસ્ટ’ કરવાનો સાયબર ફ્રોડ નિષ્ફળવડોદરા | વડોદરા શહેરની વાઘોડિયા રોડ સ્થિત બેંક ઓફ ઇન્ડિયા (BOI) શાખાના સતર્ક સ્ટાફ અને શાખા...
આ લેખ લખાય છે ત્યારે જ ઓછામાં ઓછા ત્રણ માર્ગ અકસ્માતમાં દસથી વધુ લોકો મૃત્યુ પામ્યાં છે અને એટલાં જ ઘાયલ થયાં...
ગ્લોબલ વૉર્મિંગ એ હવે કોઇ નવા શબ્દો નથી. પૃથ્વીનું વધતું તાપમાન એ હવે ઘણા સમયથી ચર્ચાતો રહેલો મુદ્દો બની ગયો છે. પરંતુ...
સુરતઃ યુવા પેઢીઓ ભારતીય સંસ્કૃતિ અને કલા વારસાને જાણી સમજી શકે તે હેતુથી સુરતમાં SVNIT દ્વારા વિરાસત 2026 A Journey Towards Our...
સુરતઃ રવિવારે તા. 1 ફેબ્રુઆરીના રોજ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને વર્ષ 2026-27 માટેનું કેન્દ્રીય અંદાજપત્ર રજૂ કર્યું. આ બજેટમાં સુરત સહિત દેશના...
“આ વિષય હિન્દુત્વનો છે, તમે વચ્ચે ના પડો” તેમ કહી હિન્દુ સંગઠન અને કાઉન્સિલર વચ્ચે ઉગ્ર બોલાચાલી નડિયાદમાં ગૌવંશની હત્યાની આશંકા સાથે...
વડોદરા: સંસ્કારી નગરી વડોદરામાં ખાણીપીણીની ગુણવત્તા સામે ફરી એકવાર ગંભીર પ્રશ્નાર્થ ઊભો થયો છે. શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલી પ્રખ્યાત હનુરામ ફુડ્સ માં...
ન્યાયાધીશ અરવિંદ કુમાર અને ન્યાયાધીશ પ્રસન્ના બી. વરાલેની બેન્ચ લદ્દાખ હિંસા કેસમાં કાર્યકર્તા વાંગચુકની ધરપકડ સામેની અરજી પર સુનાવણી કરી રહી હતી....
બજેટ અને વૈશ્વિક અસરોને પગલે કિંમતો તળિયે બેઠી; લગ્નસરાની મોસમમાં ગ્રાહકોને મળી મોટી રાહત, જ્વેલર્સ શોરૂમ પર પૂછપરછમાં ઉછાળો વડોદરા: વૈશ્વિક બજાર...
( પ્રતિનિધિ )વડોદરા,તા.2 ભારતીય મજદૂર સંઘે બજેટ 2026-27નો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યા બાદ તેને ઉદાસ બજેટ ગણાવ્યું છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિસ્તરણ ઔદ્યોગિક વિકાસ અને...
રિમાન્ડના પ્રથમ દિવસે ઇન્ટ્રોગેશન શરૂ; મોબાઇલ ડિટેલ્સ આવ્યા બાદ વધુ રહસ્યો ખુલવાની શક્યતા(પ્રતિનિધિ) વડોદરા, તા. 2વડોદરા શહેર પોલીસ વિભાગને બદનામ કરનાર એસઓજીમાં...
પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશ્યલી એબલ્ડ શાળાની સુવાસ જનમાનસ સુધી પ્રસર મનોદિવ્યાંગ બાળકો માટે ખાસ પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું પ્રતિનિધિ પ્રત્યેક મનુષ્યમાં ભગવાન...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાન શ્રી બુદ્ધના અવશેષોને શ્રીલંકામાં પ્રદર્શિત કરવા માટે માનભેર પ્રસ્થાન કરાવ્યું
વડોદરાના બજેટમાં જનતાને રાહત: કોઈ નવો વેરો નહીં, ₹30 હજાર કરોડની મિલકત સામે પાલિકાનું દેવું ‘નહિવત’: ડૉ,શીતલ મિસ્ત્રી
શિક્ષણ સમિતિનું 455.80 કરોડનું ડ્રાફ્ટ બજેટ: સુરતમાં ભિક્ષુક બાળકો માટે સિગ્નલ સ્કૂલ શરૂ કરાશે
સુરતમાં 8 નવા ફ્લાય ઓવર બનશે, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 9820 આવાસ તૈયાર કરાશે
અમેરિકાએ ભારત પર ટેરિફ 50% થી ઘટાડીને 18% કર્યો, PM મોદીએ કહ્યું- આત્મવિશ્વાસની શક્તિથી બધું શક્ય
ડભોઇમાં સમગ્ર શિક્ષા યોજના હેઠળ બનેલી કુમારશાળા નં. 01 જોખમી
પૂજારીના મોબાઇલમાંથી વૃદ્ધાઓના 150થી વધુ ફોટો મળ્યાં
નાનપુરામાં કિશોરો પટ્ટા વડે એકબીજા પર તૂટી પડ્યા
પરવટ પાટિયા પર ચપ્પુ બતાવી યુવાનનું સરેઆમ અપહરણ
બજેટમાં ગુજરાત માટે ₹20,011 કરોડ
પાદરામાં મહીસાગરની મધ્યે ફરીવાર મોતનું તાંડવ ખેલાતા રહી ગયું
વડોદરા મહાનગરપાલિકાનું કર દર વિનાનું 7,609.63 કરોડનું બજેટ રજૂ
વર્લ્ડ ક્લાસ સિટી બનાવવાના વિઝન સાથે કમિ. એમ. નાગરાજને રજૂ કર્યું સુરત મનપાનું 10593 કરોડનું ડ્રાફ્ટ બજેટ
ઇનામી જમીનોના અનઅધિકૃત કબજા હક હવે નિયમબદ્ધ થશે
ચક્રવાતી સિસ્ટમની અસર હેઠળ આજે માવઠું થશે
ઉત્તરાયણમાં કરુણા અભિયાનનું માનવતાભર્યું રૂપ – છેલ્લા 10 વર્ષમાં 1.18 લાખથી વધુ અબોલ પક્ષીઓ બચાવાયા
બજેટ વિકસિત ભારત 2047’ની બ્લુપ્રિન્ટ : વિશ્વકર્મા
તળાવ ખાલી કરાતા જળચર જીવો જોખમમાં, કન્સ્ટ્રક્શન સાઇટમાં ફસાયેલા કાચબાનો જીવ બચાવાયો
BOI વાઘોડિયા રોડ શાખાની સતર્કતાથી સિનિયર સિટીઝન મહિલાના 35 લાખ બચ્યા
માર્ગ અકસ્માત એ ખરેખર અકસ્માત છે? કે આત્મહત્યા કે હત્યા?
શૂન્ય કાર્બન ઉત્સર્જનનું લક્ષ્ય પ્રાપ્ત કરવાના પ્રયાસો હવે અનિવાર્ય બનતા જાય છે
ઓડિસી નૃત્યને ફક્ત ઈન્ટરનેટ કે AIથી શીખી શકાય નહીંઃ પદમશ્રી માધવી મુદગલ
બજેટમાં CER હેઠળ સુરત માટે 5000 કરોડની ફાળવણી, સ્માર્ટ સિટીના વિકાસને બુસ્ટ મળશે
નડિયાદના છાંટીયાવાડમાં ગૌવંશના અવશેષો મળતા ભારેલા અગ્નિ જેવી સ્થિતિ
નાસ્તામાં વંદો નીકળતાં હનુરામ ફુડ્સ પર તંત્રની કાર્યવાહી, રૂ.10 હજારનો દંડ ફટકારાયો
કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું- સોનમ વાંગચુક લદ્દાખને નેપાળ બાંગ્લાદેશ જેવું બનાવવા માંગે છે
સોના-ચાંદીના ભાવમાં ‘મહાકડાકો’: ચાંદી એકઝટકે ₹31,000 સસ્તી થઈ, સોનામાં પણ ₹5,000નું ગાબડું
બીએમએસએ બજેટને ઉદાસી અને મજદૂર વિરોધી ગણાવ્યું
SMC દ્વારા ASI લક્ષ્મીકાંત દેસાઇની મિલકત અને બેન્ક વિગતો અંગે પૂછપરછ
અંબા ઉપાસક અતુલ પુરોહિત સાથે રાજેશ પટેલે ૧૨ બાળકોની જવાબદારી સ્વીકારી
એમએસયુમાં સચવાયેલા ભગવાન શ્રી બુદ્ધના પવિત્ર અવશેષો શ્રીલંકન નૂતન વર્ષે કોલંબો પહોંચશે
શહેર પોલીસ દ્વારા પવિત્ર અવશેષોને ગાર્ડ ઓફ ઓનર આપી કરાયું સન્માન






( પ્રતિનિધિ )વડોદરા,તા.3
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરામાં સંગ્રહિત ભગવાન શ્રી બુદ્ધના પવિત્ર અવશેષોને શ્રીલંકાના કોલંબોમાં ભાવિકોના દર્શનાર્થે મોકલવાની ગૌરવશાળી વિધિમાં સહભાગી થઈ તેનું નેતૃત્વ કર્યું હતું. વડોદરાના પ્રાચીન સ્થળો પૈકીના એક એવા વિમલેશ્વર મહાદેવના સાનિધ્યમાં આ અવશેષો સચવાયેલા છે. સિંહોના દેશ ગુજરાતથી સિંહલદ્વિપ એવા શ્રીલંકાની યાત્રા આ અવશેષો કરશે.
ભગવાન બુદ્ધના અસ્થિ સહિતના આઠમી સદીના આ પવિત્ર અવશેષો મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડામાં સુરક્ષિત રાખવામાં આવ્યા છે અને તેને દિલ્હીથી શ્રીલંકા મોકલવામાં આવશે. તે શ્રીલંકન નૂતન વર્ષે કોલંબો પહોંચશે. પીએમ મોદીના વર્ષ 2025 દરમિયાનની શ્રીલંકાના પ્રવાસ દરમિયાન ભારત અને શ્રીલંકા વચ્ચે સાંસ્કૃતિક આદાનપ્રદાન વધુ ઘનિષ્ટ કરવા માટે સહમતી સાધવામાં આવી હતી. તે પરિપ્રેક્ષ્યમાં બુદ્ધધર્મની બહુમતી ધરાવતા શ્રીલંકામાં આ અવશેષો તેના નૂતન વર્ષે મોકલવામાં આવી રહ્યા છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવીના નેતૃત્વમાં ગુજરાતનું પ્રતિનિધિ મંડળ દિલ્હી ખાતેથી આ પવિત્ર અવશેષોને રવાના કરશે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાના ચાર પ્રોફેસર પણ કોલંબો જશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બપોર બાદ યુનિવર્સિટીના સયાજીગંજ કેમ્પસ સ્થિત ડિપાર્મેન્ટ ઓફ આર્કિયોલોજી એન્ડ એન્સીઅન્ટ સ્ટીડીમાં પહોંચ્યા હતા. તેઓ અહીં પહોંચ્યા ત્યારે યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તત્પશ્ચાત, મુખ્યમંત્રી અને મહાનુભાવોએ સંગ્રહાલયની મુલાકાત લીધી હતી. બુદ્ધ સાધુઓ દ્વારા પવિત્ર મંત્રોનું ગાન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તેઓ પવિત્ર અવશેષોને સંગ્રહાલયમાંથી બહાર લઇ આવ્યા હતા. આ વિધિમાં બુદ્ધિસ્ટ મોંક મહાબોધી સોસાયટીના સંત શ્રી આનંદા, શ્રી વિચિત્તા, શ્રી ઉગસેન અને શ્રી પનાતિકા પણ જોડાયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વડોદરા શહેર પોલીસની એક ટૂકડી દ્વારા ભગવાન શ્રી બુદ્ધના પવિત્ર અવશેષોને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. બાદમાં તેને એક વાહનમાં સુરક્ષિત રીતે રાખી શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ પવિત્ર અવશેષોને ફ્લાઇટ મારફત દિલ્હી મોકલવામાં આવ્યા હતા. ભગવાન બુદ્ધના અસ્થિ સાથેની મંજૂષા, સિલ્કનું વસ્ત્ર સાથેનું પાત્ર, પથ્થરમાંથી બનાવેલા ઢાંકણાવાળા ખડિયા જેવા બોક્સનો આ અવશેષોમાં સમાવેશ થાય છે. આ બોક્સ ઉપર ચાંદી, સોનાના તાર ચઢાવવામાં આવ્યા છે. જેના ઉપર બ્રાહ્મી લિપિ અને સંસ્કૃતમાં દશબલ શરીર નિલય એવું લખાણ વાંચવા મળે છે. જેનો મતલબ થાય છે કે, દશબલ એટલે કે ભગવાન શ્રી બુદ્ધના અવશેષોનું સ્થાન. ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ ધરાવતા આ અવશેષોને શ્રીલંકાના કોલંબોમાં તા.4 થી 11 ફેબ્રુઆરી સુધી ચાલનારા એક કાર્યક્રમમાં દર્શનાર્થે મૂકવામાં આવશે. આ પ્રસંગે રાજમાતા શુભાંગિનીદેવી ગાયકવાડ, કુલપતિ ભલચંદ્ર ભણગે, ભાજપ અધ્યક્ષ જયપ્રકાશ સોની, પોલીસ કમિશનર નરસિમ્હા કોમર, મ્યુનિસિપલ કમિશનર, કલેક્ટર આર્કિયોલોજી વિભાગના ડિન સુશ્મિતા સેન પણ જોડાયા હતા.
દેવની મોરી તરીકે ઓળખાતા ટેકરા ખાતે ઉત્ખનન દરમિયાન પવિત્ર અવશેષો મળી આવ્યા હતા :
શામળાજી પાસે દેવની મોરી તરીકે ઓળખાતા ટેકરા ખાતે ઉત્ખનન દરમિયાન પવિત્ર અવશેષો મળી આવ્યા હતા. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પ્રો. એસ. એન. ચૌધરી દ્વારા 1957 માં આ વિસ્તારને ઓળખવામાં આવ્યો હતો. ભોજ રાજાનો ટેકરો સહિતના આસપાસ વિસ્તારમાં 1960 બાદ તબક્કાવાર ઉત્ખનન કરવામાં આવ્યું હતું અને તેમાં અહીં બુદ્ધ વિહાર હોવાનું ફલિત થયું હતું. આઠમી સદીમાં આ બુદ્ધ વિહાર વિસ્મૃત થઇ ગયો હતો. આ વિશાળ બુદ્ધ વિહાર હિનયાનના સમ્મિતિયા પ્રશાખાનો હોવાનું માનવામાં આવે છે. તેના મુખ્ય મોંક સાધુ મહાસેનાના માર્ગદર્શનમાં સાધુ અગ્નિવર્મા અને સુદર્શન દ્વારા વિહાર નજીક શરીર સ્તૂતનું નિર્માણ કરવામાં આવ્યું હતું.