Top News

More Posts

   The Latest

Most Popular

અમેઠીના (Amethi) કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીના (Smruti Irani) નામાંકન પહેલા ગૌરીગંજમાં કોંગ્રેસના કેન્દ્રીય કાર્યાલયની સામે ભાજપ અને કોંગ્રેસના (BJP And Congress) કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસે તાત્કાલિક ચાર્જ સંભાળ્યો અને દરમિયાનગીરી કરી મામલો થાળે પાડ્યો હતો. બીજી તરફ કેન્દ્રીય મંત્રી અને અમેઠીથી ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઈરાનીએ ઉમેદવારી પત્ર ભરતા પહેલા રોડ શો કર્યો હતો. આ દરમિયાન મધ્યપ્રદેશના સીએમ મોહન યાદવ પણ હાજર હતા.

કેન્દ્રીય મંત્રી અને ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઝુબિન ઈરાનીએ સોમવારે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડો. મોહન યાદવ અને ભાજપના વરિષ્ઠ નેતાઓ અને કાર્યકરોની હાજરીમાં અમેઠી લોકસભા બેઠક માટે પોતાનું નામાંકન દાખલ કર્યું. તેમને ત્રીજી વખત આ સીટ પર ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. 2019માં તેમણે ગાંધી પરિવારનો ગઢ ગણાતી આ બેઠક પર કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને હરાવ્યા હતા. જોકે આ વખતે પણ ગાંધી પરિવારના કોઈ સભ્ય અમેઠી બેઠક પરથી ચૂંટણી લડશે તેવી અટકળો લગાવવામાં આવી રહી છે.

નોમિનેશન પહેલા ભાજપના ઉમેદવારે રોડ શો યોજીને શક્તિ પ્રદર્શન કર્યું હતું અને જીતનો દાવો કર્યો હતો. રોડ શોમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો જોવા મળ્યા હતા. જો કોંગ્રેસ અમેઠી બેઠક પર ગાંધી પરિવારમાંથી કોઈને પોતાના ઉમેદવાર તરીકે નિયુક્ત કરે છે તો સ્પર્ધા રસપ્રદ બની શકે છે. નોમિનેશનની છેલ્લી તારીખ 3 મે છે. આ સીટ માટે 20 મેના રોજ મતદાન થશે. કોંગ્રેસ ટૂંક સમયમાં આ સીટ માટે પોતાના ઉમેદવારની જાહેરાત કરશે.

અપક્ષ ઉમેદવાર સુરેન્દ્ર કુમારે સોમવારે અમેઠી લોકસભા બેઠક પરથી પ્રથમ ઉમેદવારી નોંધાવી હતી. તેમણે જિલ્લા ચૂંટણી અધિકારી નિશા અનંત સમક્ષ બે સેટમાં ઉમેદવારી પત્ર ભર્યું હતું. જોકે અત્યાર સુધીમાં 22 સેટમાં 15 ઉમેદવારોએ પેપર લીધા છે. નોમિનેશનને લઈને કલેક્ટર કચેરીમાં વ્યાપક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.

To Top