Entertainment

બોલીવૂડ માટે વધુ એક માઠાં સમાચાર: રાજીવ કપૂરનું નિધન

બોલીવુડથી વધુ એક દુ:ખદ સમાચાર આવી રહ્યા છે. રાજ કપૂરના સૌથી નાના પુત્ર અને રણધીર અને ઋષિ કપૂરના નાના ભાઇ રાજીવ કપૂરનું મંગળવાર 9 ફેબ્રુઆરી 2021 ના ​​રોજ અવસાન પામ્યા છે. રાજીવ કપૂર 58 વર્ષના હતા. અહેવાલ છે કે રણધીર કપૂર સવારે હાર્ટ એટેક આવ્યા બાદ તરત જ તેને હોસ્પિટલમાં લઈ ગયા હતા પરંતુ જ્યારે તેઓ હોસ્પિટલ પહોંચ્યા ત્યારે ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

રણધીર કપૂરે આ દુ:ખદ સમાચારની પુષ્ટિ કરતાં કહ્યું કે મારો સૌથી નાનો ભાઈ રાજીવ ગુમાવ્યો છે. હવે તે આ દુનિયામાં નથી. ડોકટરોએ તેને બચાવવા માટે પ્રયત્નશીલ પ્રયાસ કર્યા પણ તે બચાવી શક્યા નહીં. હું હજી પણ હોસ્પિટલમાં છું અને તેની ડેડબોડી મળવાની રાહ જોઈ રહ્યો છું. નીતુ કપૂરે પણ રાજીવ કપૂરનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કરીને તેમના મોતના સમાચારની પુષ્ટિ કરી છે.

રાજીવ કપૂરે રાજ કપૂર દિગ્દર્શિત ફિલ્મ ‘રામ તેરી ગંગા મેલી’ થી પોતાની ઓળખ બનાવી હતી. આ પછી, તે કેટલીક ફિલ્મોમાં જોવા મળ્યો હતો. તેમણે ઋષિ કપૂરની મુખ્ય ભૂમિકા ‘પ્રેમ ગ્રંથ’નું નિર્દેશન પણ કર્યું હતું.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top