Gujarat

દીકરી પર દાનત બગાડનાર હવસખોર બાપના ગળા પર કટર ફેરવી મા-દીકરીએ મારી નાંખ્યો

ગાંધીનગર: ગાંધીનગરના (Gandhinagar) કોલવડામાં (Kolvada) નામચીન જશુ પટેલના નાના ભાઈ ઘનશ્યામ પટેલની ગુરૂવારે હત્યા (Murder) થઈ હોવાનું સામે આવ્યું હતું. આ હત્યા કાંડમાં પોલીસે મોટો ઘસ્ફોટ કર્યો છે. ઘનશ્યામ પટેલની હત્યા તેની જ પત્ની (wife) અને દીકરી (Daughter) દ્વારા કરવામાં આવી હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. ઘનશ્યામની પત્ની રિશીતાએ પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી, જેમાં તેણે જણાવ્યું હતું કે ઘરમાં દીકરી હોવા છતાં પતિએ શરીસુખની જીદ્દ પકડી હતી, તેને ઈન્કાર કર્યો તો તેના પતિએ દીકરી પર નજર બગાડી તેને પકડી લીધી હતી. જેથી આ હત્યાને અંજામ આપ્યો હતો.

ગાંધીનગરના કોલવડા ગામનાં ઘનશ્યામ વિષ્ણુભાઈ પટેલની હત્યા કાંડમાં પોલીસ સામે ઘનશ્યામની પત્ની રિશીતાએ ચોંકાવનાર ખુલાસાઓ કર્યા હતા. આ હત્યાની પાછળ દીકરીની ભૂમિકા બહારનું સામે આવતા ચકચાર મચી જવા પામી છે. ઘનશ્યામ પટેલે ખેડા જિલ્લાનાં માતરની વતની રિશીતા સાથે આશરે સત્તર વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા.

ઘનશ્યામ પટેલે વર્ષો પહેલા ગાંધીનગરના કોલવડ ગામમાં ગેરેજની દુકાન ચલાવતો હતો. ઘનશ્યામને પહેલાથી જ દારૂ પીવાની કૂટેવ હતી. જેથી તેની પત્ની સાથે તેના વારંવાર ઘરકંકાસ પણ થતો હતો. ઘનશ્યામને દારૂની ટેવ સાથે સાથે શંકાશીલ સ્વભાવ પણ હતો. જેથી તે રોજબરોજ તેની પત્ની અને દીકરી સાથે મારઝૂડ કરતો હતો. તેથી તેની પત્ની રિશીતી આશરે દોઢ બે વર્ષ પહેલા તેની દીકરી સાથે તેની માતાના ઘરે અમદાવાદ રિસાઈને રહેવા જતી રહી હતી.

રિશીતા અને ઘનશ્યામ એક અઠવાડિયા પહેલા જ કોલવડ રહેવા જતા રહ્યા હતા. પરંતુ ત્યાં પણ ઘનશ્યામનો સ્વાભાવ સુધર્યો ન હતો. તેથી ગઈકાલે ઘર કંકાસમાં મા-દીકરીએ ઘનશ્યામની હત્યા કરી નાંખી હતી. હત્યાનો ગુનો પેથાપુર પોલીસે નોંધી તપાસ હાથ ધરી છે. જેમાં પેથાપુર પોલીસને તપાસમાં ચોંકવાનારી હકીકત સામે આવી હતી.

પોલીસના કહ્યા પ્રમાણે રિશીતાએ તેની દીકરીએ ઘનશ્યામની હત્યા કરી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. પેથાપુર પોલીસ મથકના તપાસ કરતા ફોજદારે મૂળરાજસિંહ રાણાએ જણાવ્યું હતું કે, રિશીતાએ રજૂ કરેલી થિયરી પ્રમાણે ઘનશ્યામને પહેલાથી જ દારૂ પીવાની કૂ ટેવ હતી. જેનાં કારણે તેનું શરીર અંદરથી ખોખલું થઈ ગયું હતું. દારૂનાં નશામાં તે રિશીતા સાથે શારીરિક સંબંધો બાંધતો હતો. બળજબરીથી રિશીતાનો સેક્સ્યુઅલ એબયુઝ કરતો રહેતો હતો. રિશીતાના કહ્યા મુજબ તે એક અઠવાડિયાથી પહેલા જ તેની દીકરી સાથે કોલવડે ખાતે રહેવા આવી હતી. હાલ તેણે થોડાક સમય માટે દારૂ પીવાનો બંધ કર્યો હતો. પરંતુ તેના શંકાશીલ સ્વાભાવના કારણે તે ઘણી વાર મા અને દીકરી સાથે મારઝૂડ કરતો હતો.

રિશીતાની થિયરી મુજબ ગઈકાલે ઘનશ્યામે દારૂના નશામાં સવાર સવારમાં શરીરસુખની માંગણી કરી હતી. પરંતુ દીકરી ઘરમાં હોવાથી તેણે ના પાડી દીધી હતી. ઘનશ્યામે આ અંગે ઘરમાં કંકાસ કર્યો હતો. તે દરમિયાન તે ઘરની બહાર વાડામાં વાસણ ઘસવા જતી રહી હતી. આ દરમિયાન ઘનશ્યામ અને દીકરી ઘરમાં એકલા જ હતા. દારૂના નશામાં તેણે ભાન ભૂલી દીકરી સાથે અડલપા કર્યા હતા. અને દીકરીને પકડી લીધી હતી. દીકરીએ ગભરાઈ જઈને બૂમાબૂમ કરી દેતા રિશીતા બહારથી ઘરમાં દોડી આવી હતી. તેણે ઘરમાં આવીને જોઈયું તો ઘનશ્યામે તેની દીકરીને પકડી રાખી હતી. ત્યાર બાદ દીકરીના હાથમાં કટર આવી જતા તેણે ઘનશ્યામના ગળા પર કટર ફેરવી દીધું હતું. અને રિશીતાએ તેના માથામાં લોંખડનો દસ્તો મારી દીધો. પોલીસના કહ્યા મુજબ લોહી નીકળી જવાના કારણે ઘનશ્યામનું મોત નિપજ્યું છે.

Most Popular

To Top