Gujarat

રાજ્યમાં કોરોનાના નવા 262 કેસ: 5ના મોત

રાજ્યમાં ધીમે ધીમે કોરોનાના નવા કેસની સંખ્યા ઓછી થઈ રહી છે, શુક્રવારે રાજ્યના સાત જિલ્લામાં એક પણ નવો કેસ નોંધાયો નથી. નવા 262 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 5 દર્દીનું મૃત્યુ થતાં કુલ મૃત્યુઆંક 10,023 પર પહોચ્યો છે. રાજ્યમાં ભાવનગર ગ્રામ્ય, બોટાદ, છોટાઉદેપુર, મોરબી, નર્મદા, પાટણ અને સુરેન્દ્રનગર જિલ્લામાં એકપણ નવો કેસ આજે નોંધાયો નથી.

રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદ મનપામાં 42, સુરત મનપામાં 21, વડોદરા મનપામાં 15, રાજકોટ મનપામાં 19, ગાંધીનગર મનપામાં 02, જામનગર મનપામાં 05 અને જૂનાગઢ મનપામાં 9 કેસ નોંધાયા છે. જ્યારે સુરત ગ્રામ્યમાં 16, વડોદરા ગ્રામ્યમાં 10, જૂનાગઢ ગ્રામ્યમાં 12, ભરૂચમાં 08, રાજકોટ ગ્રામ્યમાં 03, વલસાડમાં 07, અમરેલીમાં 08 નવા કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ મનપામાં 2, સુરત ગ્રામ્ય, વડોદરા ગ્રામ્ય, જામનગર ગ્રામ્યમાં 1-1- કુલ 05 દર્દીનું મૃત્યુ થયું છે.

અત્યાર સુધીમાં કુલ મૃત્યુ આંક 10,023 થયો છે. આજે 776 દર્દીઓ સાજા થતાં અત્યાર સુધીમાં કુલ 8,04,668 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસોની સંખ્યામાં ઘટીને 7,230 થઈ છે. 198 દર્દીઓ વેન્ટિલેટર ઉપર છે, અને 7,032 દર્દીઓ સ્ટેબલ છે. શુક્રવારે 18 થી 45 વર્ષ સુધીના 1,80,083 વ્યક્તિને પ્રથમ ડોઝ, 1,461ને બીજો ડોઝ જ્યારે 45 વર્ષથી વધુ ઉંમરના 34,981 વ્યક્તિને પ્રથમ ડોઝ, 34,685ને બીજો ડોઝ, તેવી જ રીતે 752 હેલ્થ કેર વર્કસ અને ફંટ લાઈન વર્કસને પ્રથમ ડોઝ અને 3,084ને બીજો ડોઝ, આમ કુલ 2,55,046 વ્યક્તિને રસી આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં 2,15,47,305 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.

Most Popular

To Top