Entertainment

તુનિષા કેસમાં મોટો ખુલાસો, મૃત્યુના 15 મિનિટ પહેલા અભિનેત્રીએ આ વ્યક્તિ સાથે કરી હતી વાત

નવી દિલ્હી: તુનિષા શર્માની (Tunisha Sharma) આત્મહત્યા કેસમાં (Suicide case) આજે મુંબઈ કોર્ટમાં (Mumbai Court) સુનાવણી થઈ હતી. આ સુનાવણી દરમિયાન અભિનેત્રીના જીવન વિશે એક મોટો ખુલાસો થયો છે. તુનિષા સાથે છેલ્લી 15 મિનિટમાં શું હતું અને શિજાને શું કહ્યું કે તુનિષાએ આ પગલું ભરવા મજબૂર બની હતી. ત્યારે કોર્ટમાં જાણવા મળ્યું કે તુનિષા સાથે છેલ્લી 15 મિનિટમાં એક વ્યક્તિ સાથે વીડિયો કોલ પર વાત કરી હતી. કોર્ટમાં જણાવવામાં આવ્યું કે શીજાન ખાન (Shijan Khan) સાથે બ્રેકઅપ થયા બાદ અલી નામના વ્યક્તિએ તુનીશાના જીવનમાં પ્રવેશ કર્યો હતો. આ વ્યક્તિ પાસેથી જ તુનીશાએ તેના જીવનની અંતિમ 15 મિનિટમાં અલી (Ali) સાથે વાત કરી હતી. તુનીશાની અલી સાથેની મિત્રતા વિશે તેની માતાને પણ જાણ હતી.

તુનિષાના અલી નામના વ્યક્તિ સાથે સંબંધ હતા
અભિનેતા શીજાન ખાનના વકીલોએ સુનાવણીમાં આ વાતનો ખુલાસો કર્યો છે. વકીલના જણાવ્યા અનુસાર, તુનિષા શર્મા શીજાન સાથે બ્રેકઅપ બાદ ડેટિંગ એપ ટિન્ડર સાથે જોડાઈ હતી. અહીં તેની વાતચીત અલી નામના છોકરા સાથે શરૂ થઈ હતી. તુનિષા અલી સાથે ડેટ પર ગઈ હતી. તુનિષાએ મૃત્યુના 15 મિનિટ પહેલા અલી સાથે વીડિયો કોલ પર વાત કરી હતી. તેથી શીજાન નહીં પરંતુ અલી અભિનેત્રીના સંપર્કમાં હતો. શિજાનના વકિલે કોર્ટમાં દલીલો કરી હતી.

મિત્ર પાર્થને આપઘાતનો સંકેત આપ્યો હતો?
શીજાનના વકીલનું પણ કહેવું છે કે તુનીષાએ તેના કો-સ્ટાર અને મિત્ર પાર્થને તેની સમસ્યાઓ વિશે જણાવ્યું હતું. તેણે પાર્થને દોરડું પણ બતાવ્યું હતું. આ એક સંકેત હતો કે તે આત્મહત્યા કરવાનું વિચારી રહી છે. જ્યારે શીજાન ખાનને આ વાતની જાણ થઈ તો તેણે તુનીશાના પરિવારનો સંપર્ક કર્યો અને તેમને આ વિશે જણાવ્યું હતું. આટલું જ નહીં, તેણે તેના પરિવારને તુનિષાની સંભાળ રાખવાનું પણ કહ્યું હતું. સુનાવણી દરમિયાન, શીજાનના વકીલે એ પણ ખુલાસો કર્યો કે તુનિષા કેટલીક દવાઓનું સેવન કરી રહી છે જે ખતરનાક છે. આ દવાઓ ડૉક્ટરની સલાહ વિના ન લેવી જોઈએ.

ઉર્દૂ-હિજાબ માટે દબાણ કર્યું નથી
શીજાન ખાનના વકીલોએ કોર્ટમાં ઉર્દૂ શીખવવા વિશે વાત કરી હતી. તેણે કહ્યું કે શીજાન ખાન તુનીશાને ઉર્દૂ શીખવા માટે દબાણ કરી રહ્યો ન હતો. તે પોતે ઉર્દૂ ભાષા નથી જાણતા. તે દિગ્દર્શકની માંગ પ્રમાણે તેની લાઈનો યાદ રાખે છે. તેની બહેનો પણ ઉર્દૂ નથી જાણતી. હિજાબ પહેરેલી તુનિષાની વાયરલ તસવીર પણ આ સિરિયલની છે. તે તેના પોશાકનો એક ભાગ હતો. શીજાનને આની સાથે કોઈ લેવાદેવા નથી.

ધર્મના આધારે મારી ધરપકડ કરવામાં આવી
શીજાન વતી તેમના વકીલ શૈલેન્દ્ર મિશ્રાએ કહ્યું કે મારા ધર્મના કારણે મારી ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આ કેસને લવ જેહાદનો એંગલ બનાવ્યો છે. તેઓ સતત બે દિવસ સુધી મને સવાલ-જવાબ કરી શકતા હતા અને સત્ય બધાની સામે આવ્યું હોત. તેઓએ મારી ધરપકડ કરવાની કોઈ જરૂર નહોતી. જો હું મુસ્લિમ ન હોત તો આ બધું મારી સાથે ન થયું હોત. પોલીસે કોઈ પુરાવા વગર મારી સામે કાર્યવાહી કરી છે. જો હું રિલેશનશિપમાં હોઉં તો મારા પર IPCની કલમ 306 લાદવાનો શું અર્થ છે. મારો એક ભાઈ છે જે ઓટીઝમથી પીડિત છે. તે મારી ખૂબ નજીક છે, મારા વિના ખાવાનું પણ નથી ખાતો. તેને મારી જરૂરિયાત છે.

Most Popular

To Top