નંદપ્રયાગ રોડ પર ભૂસ્ખલન થતા સવારના 5:30 વાગ્યાના રોડ પર ફસાયા છે
કપડવંજથી 50 થી વધુ લોકો બદ્રીનાથ કપડવંજના કથાકાર વિનોદકુમાર શાસ્ત્રીની કથામાં ભાગ લેવા ગયા હતા
કપડવંજ: કેદારનાથ બદ્રીનાથ યાત્રાએ ગયેલા કપડવંજના 33 લોકો નંદપ્રયાગ પાસે ભૂસ્ખલન થવાને કારણે ફસાયા છે. કપડવંજ ના કથાકાર વિનોદકુમાર ભાગ લેવા 50 જેટલા લોકો ગયા હતા.
ગઈકાલે 33 લોકો કેદારનાથ દર્શન કરવા ગયા હતાં. ત્યાંથી બદ્રીનાથ પરત ફરતા સવારે ભૂસ્ખલન થયું. સૌ સલામત કેમ હાલ ચિંતાનું કોઈ કારણ નથી, ત્રણ જેસીબી દ્વારા રોડ ક્લિયર કરવાની કાર્યવાહી ચાલુ છે.

આ અંગે સાંસદ દેવુસિંહ ચૌહાણ અને કપડવંજ ધારાસભ્ય રાજેશભાઈ ઝાલાએ જોશી મઠમાં ફસાયેલા પ્રવાસીઓનો ટેલીફોનિક સંપર્ક કરી મદદ કરવા ખાતરી આપી અને કંઈ પણ મદદની જરૂર હોય તો જાણ કરવા જણાવ્યું છે.