Gujarat

રાજ્યમાં કોરોનાના નવા 29 કેસ, સૌથી વધુ અમદાવાદ શહેરમાં 13 દર્દી

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ અમદાવાદ મનપામાં કોરોનાના 13 કેસ સાથે વધુ 29 કેસ નોંધાયા છે. બીજી તરફ કોરોનાના 32 દર્દીઓ સાજા પણ થયા છે. રાજ્યમાં આજે કોરોનાન વધુ 29 કેસ નોંધાયા છે, જેમાં અમદાવાદ મનપામાં સૌથી વધુ 13, વડોદરા મનપા, વલસાડમાં 3-3, ગાંધીનગર ગ્રામ્ય, રાજકોટ ગ્રામ્ય, સુરત મનપામાં 2-2, અરવલ્લી, ગીર સોમનાથ, મોરબી, નવસારીમાં વધુ 1-1 કેસ નોંધાયા છે. હાલમાં રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 316 થઈ છે, જ્યારે 04 દર્દીઓ વેન્ટિલેટર પર છે, અને 312 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં આજે 8 હેલ્થ કેર વર્કર અને ફ્રન્ટ લાઈન વર્કરને પ્રથમ અને 1,296ને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. તેવી જ રીતે 45 વર્ષથી વધુ ઉંમરના 12000ને પ્રથમ અને 1,08, 188 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે જ્યારે 18-45 વર્ષ સુધીના 38,178ને પ્રથમ અને 2,94,350ને બીજો ડોઝ મળી આજે કુલ 4,52,020 વ્યકિતઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં કુલ 7,84,36,149 વ્યકિતઓને રસી આપવામાં આવી છે.

Most Popular

To Top