National

શું દેશમાં ફરી આવશે કોરોના મહામારી? નવા વેરિઅન્ટના સૌથી વધુ કેસ ભારતમાં

નવી દિલ્હીઃ દેશમાં કોરોના (Corona) સંક્રમણનું જોખમ હજુ પણ વધી રહ્યું છે. બે વર્ષ બાદ ફરી અચનાક જ કોરોના કેસોમાં (Corona case) વધારો થતા સરકાર ચિંતિત બની છે. 129 દિવસ પછી દેશમાં એક દિવસમાં કોવિડ-19ના (Covid-19) 1,000થી વધુ કેસ નોંધાયા છે, જ્યારે સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા વધીને 5,915 થઈ ગઈ છે. રવિવારે સવારે આઠ વાગ્યા સુધી કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અપડેટ ડેટા અનુસાર, દેશમાં 24 કલાકની અંદર ચેપના કુલ 1,071 નવા કેસ નોંધાયા છે, જ્યારે ત્રણ દર્દીઓ સાથે મૃત્યુઆંક વધીને 5,30,802 થઈ ગયો છે.

કોરોના કેસમાં વધારો થતા કેન્દ્ર સરકાર એલર્ટ બની છે. 6 જેટલા રાજ્યોમાં પત્ર લખી કોવિડ 19ની ગાઈડલાઈન્સ અનુસરવા માટે આદેશ કર્યા હતા. ગુજરાત, મહારાષ્ટ્ર, કર્નાટક સહિત 6 રાજ્યામાં કોરોનાનો કેસમાં વધારો થઈ રહ્યો છે.

કોરોના વાયરસના નવા પ્રકારનો પ્રવેશ
તમને જણાવી દઈએ કે કોવિડ-19નું નવું સબ-વેરિઅન્ટ ભારતમાં કોરોના કેસોમાં તાજેતરના ઉછાળા પાછળ XBB.1.16 હોઈ શકે છે. વિશ્વભરમાં કોરોનાના પ્રકારો પર નજર રાખતા આંતરરાષ્ટ્રીય અને ભારતીય વૈજ્ઞાનિકોએ તેમની આશંકા વ્યક્ત કરી છે. તાજેતરના ડેટા અનુસાર, આ વેરિઅન્ટના સૌથી વધુ કેસ ભારતમાંથી આવ્યા છે. ભારતમાં અત્યાર સુધીમાં કોવિડ XBB.1.16ના નવા સબ-વેરિઅન્ટના 48 કેસ નોંધાયા છે. તે પછી બ્રુનેઈ (22), યુએસએ (15) અને સિંગાપોર (14) છે.

રાજસ્થાન, મહારાષ્ટ્રમાં એક-એક દર્દીનું મોત થયું છે
દેશમાં કોરોના વાયરસના કારણે રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં એક-એક દર્દીનું મોત થયું છે. તે જ સમયે, કેરળમાં કોવિડ -19 થી મૃત્યુની સંખ્યાને ફરીથી સમાધાન કરતી વખતે એક કેસ ઉમેરવામાં આવ્યો છે. આંકડા અનુસાર, ભારતમાં ચેપના કુલ કેસોની સંખ્યા 4,46,95,420 થઈ ગઈ છે. તે જ સમયે, સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા ચેપના કુલ કેસના 0.01 ટકા છે, જ્યારે કોવિડ-19માંથી સાજા થવાનો રાષ્ટ્રીય દર 98.8 ટકા નોંધાયો છે.

અત્યાર સુધીમાં 220.64 કરોડ લોકોએ રસી લીધી છે
મંત્રાલયની વેબસાઈટ અનુસાર, કોરોના વાયરસના સંક્રમણમાંથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 4,41,58,703 થઈ ગઈ છે, જ્યારે મૃત્યુ દર 1.19 ટકા નોંધાયો છે. વેબસાઇટ અનુસાર, દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ દેશમાં અત્યાર સુધીમાં કોવિડ-19 વિરોધી રસીના 220.65 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.

Most Popular

To Top