Entertainment

દયાબેનની “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા”માં વાપસી, આસિત મોદીએ કહ્યું કે…

મુંબઇ: નાના પડદાના લોકપ્રિય કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માએ (Taarak mehta ka oolta chashma) દર્શકોના દિલમાં ખાસ જગ્યા બનાવી છે. આ ટીવી શો છેલ્લા ઘણા સમયથી દર્શકોનું મનોરંજન (Entertainment) કરી રહ્યો છે. આ ટીવી શોના દરેક પાત્ર અને કલાકારને દર્શકો ખૂબ પસંદ કરે છે. હાલમાં આ ટીવી શોમાં (TV Show) તારક મહેતાનું પાત્ર ભજવનાર શૈલેષ લોઢાએ શો છોડી દીધો હોવાના સમાચાર આવ્યા હતા. આ સમાચાર સાંભળીને આ ટીવી શોના પ્રેક્ષકોનું દિલ તૂટી ગયું હતું. પરંતુ હવે જે સમાચાર સામે આવી રહ્યા છે તેના કારણે ફરી એકવાર દર્શકોના ચહેરા પર સ્મિત આવી ગયું છે. આવી સ્થિતિમાં મેકર્સ શોમાં મોટા ફેરફાર કરવાનું વિચારી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો દયા બેન ટૂંક સમયમાં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં પરત ફરવાના છે.

  • વર્ષ 2017માં ટીવી એક્ટ્રેસ દિશા વાકાણીએ મેટરનિટી લીવ લીધી હતી
  • અભિનેત્રી દિશા વાકાણી વાપસી કરવા જઈ રહી છે
  • વાપસી પહેલાં મેકર્સ સામે ત્રણ શરતો મૂકી

દયાબેન પરત ફરશે?
વર્ષ 2017માં ટીવી એક્ટ્રેસ દિશા વાકાણીએ મેટરનિટી લીવ લીધી હતી. જે પછી તે ક્યારેય આ ટીવી શોમાં પાછી આવી નથી. અભિનેત્રીને જોવા માટે ચાહકો આતુર હતા. હવે દિશા વાકાણી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં વાપસી કરવા જઈ રહી છે. એટલે કે ફરી એકવાર દર્શકોને જેઠાલાલ અને દયાની જોડી જોવા મળશે. પરંતુ કમબેક કરતા પહેલા દિશા વાકાણીએ મેકર્સ સામે ત્રણ શરતો રાખી છે. દિશા વાકાણીની આ ત્રણ શરતો સામે મેકર્સ ઝૂકી જશે તો દર્શકો ફરી એકવાર દિશા વાકાણીને શોમાં જોઈ શકશે.

શું દિશા વાકાણી જ દયા બેનનો રોલ કરશે?
શું દિશા વાકાણી દયા બેનનું પાત્ર ભજવશે? આ સવાલના જવાબમાં આસિત મોદીએ કહ્યું કે, ‘મને ખબર નથી કે દિશા વકાણી દયા બેન તરીકે પરત ફરશે કે નહીં. દિશાજી સાથે અમારો હજુ પણ સારો સંબંધ છે. અમે એક પરિવાર જેવા છીએ. જો કે હવે તેમની પાસે એક બાળકની જવાબદારી છે. હું એટલું જ કહીશ કે દયા બેન શોમાં પાછી ફરશે. હવે તેમનું પાત્ર દિશા કે નિશા બેન ભજવે છે, તેનાથી કોઈ ફરક પડતો નથી.

Most Popular

To Top