National

CM યોગીએ જ્ઞાનવાપી પર કહ્યું- ઐતિહાસિક ભૂલનો ઉકેલ મુસ્લિમ સમાજ તરફથી આવવો જોઈએ

વારાણસી: વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ પર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (Yogi Adityanath) મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, જ્ઞાનવાપીને (Gyanvapi) મસ્જિદ કહેવામાં આવશે તો વિવાદ છેડાઈ જશે. જેથી સીએમ યોગીએ પૂછ્યું, ત્રિશુલ મસ્જિદની અંદર શું કરે છે? અમે તો ત્રિશૂલ નથી મૂકયું. તેમણે વધુમાં કહ્યું આ મામલે મુસ્લિમ પક્ષે આગળ આવવું જોઈએ અને કહેવું જોઈએ કે ઐતિહાસિક ભૂલ થઈ છે, અમે તે ભૂલનો ઉકેલ ઈચ્છીએ છીએ.

સીએમ યોગીએ ANIનાં પોડકાસ્ટમાં પોતાની વાત મૂકી હતી. આ દરમિયાન જ્ઞાનવાપી વિશે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં સીએમ યોગીએ કહ્યું, “જો જ્ઞાનવાપીને મસ્જિદ કહેવામાં આવશે તો વિવાદ છેડાઈ જશે.” ત્રિશુલ મસ્જિદની અંદર શું કરે છે? ત્યાં જ્યોતિર્લિંગ છે, દેવતાઓ છે. બૂમો પાડીને દીવાલો શું કહે છે?” તેણે કહ્યું, ”મને લાગે છે કે મુસ્લિમ પક્ષ તરફથી પ્રસ્તાવ આવવો જોઈએ કે ઐતિહાસિક ભૂલ થઈ છે અને અમે એ ભૂલનો ઉકેલ ઈચ્છીએ છીએ.”

દેશ વોટ અને ધર્મથી નહીં પરંતુ બંધારણથી ચાલશે: સીએમ યોગી
સીએમ યોગી કહ્યું દેશ વોટ અને ધર્મથી નહીં પરંતુ બંધારણથી ચાલશે. હું ભગવાનનો ભક્ત છું, પણ કોઈ દંભમાં માનતો નથી. તમારો પોતાનો મત અને ધર્મ હશે. જો કોઈને દેશમાં રહેવું હોય તો તેણે રાષ્ટ્રને સર્વોપરી માનવું જોઈએ પોતાના મત અને ધર્મને ધ્યાનમાં રાખીને નહીં. યોગી આદિત્યનાથ સીએમ યોગીએ કહ્યું, હું 6 વર્ષથી વધુ સમયથી યુપીનો સીએમ છું. છેલ્લા 6 વર્ષમાં કોઈ મોટું તોફાન થયું નથી.

તેઓએ વધુમાં કહ્યું યુપીની ચૂંટણી અને પશ્ચિમ બંગાળમાં પંચાયતની ચૂંટણી નો તફાવત જુઓ. પશ્વિમ બંગાળમાં ચૂંટણી વખતે જે થયું તે આખો દેશ જાણે છે. આ લોકો દેશને પશ્ચિમ બંગાળ બનાવવા માંગે છે. જે રીતે ટીએમસી સરકારે ત્યાં કર્યું તે ખૂબ ખોટું હતું. કેટલાક લોકો સત્તામાં આવ્યા બાદ આખી વ્યવસ્થાને બળજબરીથી કેદ કરવા માગે છે. આવું પશ્ચિમ બંગાળમાં જોવા મળ્યું હતું. વિરોધ પક્ષોના કાર્યકરો માર્યા ગયા. આ વસ્તુઓ આંખ ખોલનારી છે. આ લોકો આવાં વિવાદો પર કંઈ બોલતા નથી.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વિપક્ષી પાર્ટીઓના I.N.D.I.A ગઠબંધન પર પણ નિશાન સાધ્યું છે. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે તેને ઈન્ડિયા ન કહેવું જોઈએ, આ એક ડોટ કોમ ગ્રુપ છે, કપડાં બદલવાથી તેમને ભૂતકાળના કર્મોમાંથી મુક્તિ નહીં મળે.

Most Popular

To Top