Gujarat

રાજ્યમાં કોરોનાના કેસમાં ઉછાળો, સૌથી વધુ અમદાવાદમાં 20 કેસ, કુલ 68 કેસ

રાજ્યમાં કોરોનાના નવા કેસમાં ઉછાળો જોવા મળ્યો હતો. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ મનપામાં 20 કેસ સાથે રાજ્યમાં નવા 68 કેસ નોધાયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 43 કોરોના દર્દીઓ સાજા થયા છે. આજે નોંધાયેલા નવા કેસમાં અમદાવાદ મનપામાં 20, વડોદરા મનપામાં 12, સુરત મનપામાં 9, રાજકોટ મનપામાં 7, ગાંધીનગર ગ્રામ્ય- નવસારીમાં 5-5, જામનગર મનપામાં 3, કચ્છ- વલસાડમાં 2-2, ભરૂચ, રાજકોટ ગ્રામ્ય, સુરત ગ્રામ્યમાં 1-1 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં હાલમાં એકટીવ કેસની સંખ્યા વધીને 580 થઈ છે. જેમાંથી 06 દર્દી વેન્ટીલેટર પર રાખવામાં આવ્યાં છે. જ્યારે 574 દર્દીઓ સ્ટેબલ છે.

Most Popular

To Top