Entertainment

જેઠાલાલના ફાયર બ્રિગેડ તરીકે હવે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલમાં આ કલાકાર એન્ટ્રી મારશે!

મુંબઈ: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ (Tarak Mehta Ka Ulta Chashma) શોમાં (Show) તારક મહેતા ભૂમિકાનું પાત્ર ભજવતા શૈલેષ લોઢાએ શોને અલવિદા કહી દીધું છે. શોમાં નવા દયાબેનની વાપસી પછી દર્શકો નવા તારક મહેતાની વાપસીનો ઈંતઝાર કરી રહ્યાં છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં શોમાં જેઠાલાલના ફાયર બ્રિગેડ એટલેકે તારક મહેતાના પાત્રમાં હવે જયનીરજ રાજપુરોહિત જોવા મળશે. મળતી માહિતી મુજબ આ કલાકારને તારક મહેતાના પાત્ર તરીકે સિલકેટ (Select) કરી લેવામાં આવ્યા છે. જો કે શોના કલાકારો તરીફથી આ અંગે કોઈ પણ પુષ્ટિ કરવામાં આવી નથી.

જણાવી દઈએ કે જયનીરજ રાજપુરોહિતે ટીવી સિરિયલ તથા હિંદી ફિલ્મમાં કામ કર્યું છે. જયનીરજે ‘બાલિકાવધૂ’, ‘લાગી તુઝસે લગન’, ‘મિલે જબ હમ તુમ’ જેવી હિંદી સિરિયલમાં કામ કર્યું છે. આ ઉપરાંત તે ‘ઓહ માય ગોડ’, ‘આઉટસોર્સ્ડ’ તથા ‘સલામ વેંકી’ જેવી હિંદી ફિલ્મમાં પણ જોવા મળ્યો હતા. હવે તેઓ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં સિરિયલમાં જોવા મળશે કે કેમ તે જોવું રહ્યું. મળતી માહિતી મુજબ દર્શકો શૈલેષ લોઢાની જ રાહ જોઈ રહ્યાં છે પરંતુ તેઓ પરત ફરે તેવી કોઈ આશા દેખાઈ રહી નથી.

શૈલેષ લોઢાએ કેમ સિરિયલ છોડી?
જણાવી દઈએ કે શોના પ્રોડયુસર અસિત મોદીએ શૈલેષ લોઢાને પાછા ફરવા માટે ઘણા પ્રયત્નો કર્યા હતા. પરંતુ શૈલેષ લોઢા તરફથી તેમને કોઈ પ્રતિસાદ મળ્યો ન હતો. મળતી માહિતી મુજબ શૈલેષ લોઢાએ સિરિયલ છોડવા પાછળનું કારણ આપતા કહેયું હતું કે અસિત મોદી મહિનામાં શૈલેષ લોઢાને 15 દિવસથી વધુ દિવસ સેટ પર બોલાવતા નથી. આ કારણસર શૈલેષ લોઢાએ બાકીના સમયમાં અન્ય પ્લેટફોર્મ પર આવવું પડતું હતું. બીજા શોમાં કામ કરવા અંગે અસિત મોદીએ શૈલેષ લોઢાને જણાવ્યું હતું કે તે કોન્ટ્રેક્ટ તોડીને બીજા શોમાં કામ કરી શકે નહીં. તેમજ તેઓ અન્ય શોમાં કામગીરી કરવા અંગેની પરવાનગી પણ આપી શકે નહીં. કારણકે જો તેઓ એક કલાકારને મંજૂરી આપશે તો બાકીના અન્ય કલાકારો પણ આ રીતે કોન્ટ્રેક્ટ તોડશે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અસિત મોદીએ સિરિયલમાં કામ કરતા તમામ કલાકારો સાથે એક ખાસ કોન્ટ્રેક્ટ કર્યો છે. આ કોન્ટ્રેક્ટ પ્રમાણે, સિરિયલમાં કામ કરતા કલાકારો અન્ય બીજું કોઈ કામ કરી શકે નહીં. પછી ભલે તેમને મહિનામાં 15 દિવસ ઘરે જ કેમ ના બેસવાનું હોય.

Most Popular

To Top