Entertainment

તારક મહેતા ફેમ મહેતા સાહેબે કપિલ શર્મા શો બાબતે એવું તો શું કહ્યું કે પછી ખુલાસો કરવો પડ્યો

નવી દિલ્હી: ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા'(Tarak Mehata Ka Oolta Chasma) ફેમ શૈલેષ લોઢાએ શો છોડી દીધા બાદ ફરી શોને લઈને ટિપ્પણી કરી છે જેથી તેઓ ફરી ચર્ચામાં આવી ગયા છે. તેમણે શો છોડવાનું કારણ જણાવતા કહ્યું હતું કે તેઓ નિર્માતાઓના વર્તનથી દુ:ખી(Sad) છે. આ વખતે તેઓ કપિલના કોમેડી શો ઉપર પોતાની ટિપ્પણીઓને કારણે ચર્ચામાં છે.

શૈલેષે ‘ધ કપિલ શર્મા શો’ની ટીકા અને તેમના પોતાના ટ્રોલિંગના મુદ્દાઓ ઉપર પોતાની પ્રતિક્રિયા આપી છે. એક સમય એવો હતો જ્યારે લોકોએ શૈલેષ લોઢાને કપિલ શર્માના શોની ટીકા કરવા અને પછી તે શોમાં જવા માટે ખૂબ ટ્રોલ કર્યા હતા. હવે એક વેબસાઈટને આપેલા ઈન્ટરવ્યુમાં શૈલેષ લોઢાએ આ સમગ્ર વાત બાબતે ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું, ‘મેં કપિલ શર્મા સાથે કામ કર્યું છે. વર્ષ 2012 માં કપિલ અને હું સિંગાપોરમાં સાથે એક શો કરી રહ્યા હતા, જેનું નામ હતું ‘કોમેડી નાઈટ્સ વિથ શૈલેષ એન્ડ કપિલ’. સોશિયલ મીડિયા ઉપર મારા વિચારોને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યા હતા.

મહેતા સાહેબે શું ખુલાસો કર્યો?

શૈલેષ લોઢાએ વધુમાં કહ્યું, ‘મેં કહ્યું હતું કે મને બુવા(ફોઇ) અને દાદી સાથે ફ્લર્ટિંગ પસંદ નથી. આ આપણી સંસ્કૃતિ નથી. હું આવા વ્યવહારથી કમ્ફર્ટેબલ નથી. આજે પણ હું આ વાત પર અડગ છું. તેમણે આગળ કહ્યું, ‘પરંતુ એનો મતલબ એવો ન હતો કે હું કપિલ શર્માના શોમાં નહીં જાવ કે કપિલ સથે કામ નહીં કરું. મેં કપિલના શો માટે કઈ પણ કહ્યું નથી. હું કપિલના શોમાં પણ ગયો હતો અને હિન્દી કવિતાની તાકાત ઉજાગર કરી હતી.’

શૈલેષ લોઢાએ કહ્યું કપિલ તેમના પરમ મિત્ર છે.
અભિનેતાએ કપિલ શર્માની પણ પ્રશંસા કરી અને કહ્યું, ‘કપિલ એક અદ્ભુત વ્યક્તિ છે અને મારા ઘણા સારા મિત્ર પણ છે. ‘કપિલ શર્મા શો’ સિવાય શૈલેષ લોઢાએ ‘ભાભી જી ઘર પર હૈ’ જેવા શોની કોમેડી વિશે પણ ચર્ચા કરી હતી. તેમણે કહ્યું, ‘લોકો પડોશીઓ સાથે ફ્લર્ટિંગ જેવા શો અને જોક્સ પસંદ કરે છે. હવે ઇન્ટેલીજન્ટ કોમેડી તો થતી જ નથી અને ન તો જોવાઈ રહી છે. 90 ટકા લોકો રીલ જોઈ રહ્યા છે. જો તમે કંઈક ગંભીર બતાવતા હોવ તો પણ લોકો તેને જોવા માંગતા નથી.

Most Popular

To Top