Entertainment

“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં” હસીનો ડોઝ થશે ડબલ, આસિત કુમારના આ એલાનથી ચાહકો પણ ખુશ

નવી દિલ્હી: ટેલિવિઝન (TV) પર થોડાં થોડાં સમયે ધણાં શો આવતા રહે છે પણ ખૂબ જ ઓછાં શો એવા હોય છે જેને ચાહકો તરફથી વર્ષો સુધી એવો ને એવો જ પ્રેમ મળે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એક એવો છે જેણે માત્ર ભારતમાં જ નહિં પણ સમગ્ર વિશ્વમાં નામના મેળવી હોય. દુનિયાભરમાં તેના ચાહકો છે જેને આ શો હસાવી રહ્યો છે. આ ઉપરાંત બોલિવૂડમાં પણ આ શોને ચાહવા વાળા ધણાં સેલિબ્રિટિઓ છે. આ વચ્ચે શોના પ્રોડયુસર આસિત મોદીએ એક એવા સમાચાર આપ્યા છે જેને સાંભળીને આ શોના ચાહકોના આનંદનો પાર નથી રહ્યો. જણાવી દઈએ કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલ છેલ્લાં 15 વર્ષથી લોકોને મનોરંજન પૂરું પાડી રહ્યો છે.

ટીવીનો સૌથી જૂનો, જાણીતો અને પોપ્યુલર શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લાં કેટલાય સમયથી લોકોનું મનોરંજન કરી રહ્યું છે. સલમાન ખાન, શાહરુખખાન સહિત ધણી બોલિવૂડની હસ્તીઓ પણ આ શોની ફેન છે. આ ઉપરાંત ધણીવાર ધણી ફિલ્મના પ્રમોશન માટે પણ સેલિબ્રિટિઓ આ સિરિયલમાં આવતી હોય છે. ત્યારે આ વચ્ચે શોના પ્રોડયુસરે જે વાત કહી છે તે જાણીને તમે પણ ખુશ થઈ જશો. જાણકારી મુજબ આ સિરિયલ ઉપર એક ફિલ્મ બનવા જઈ રહી છે.

આસિત મોદીએ જણાવ્યું કે તેઓ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા યુનિવર્સલ ક્રિએટ કરવા માગે છે. તેઓએ કહ્યું કે અમારા આ શો ચાહકોને છેલ્લાં 15 વર્ષથી મનોરંજન પૂરુ પાડી રહ્યો છે. આ શોને ગમે તે સમયે ઓટીટી અને યુટ્યુબ પર પણ જોઈ શકાશે. તેથી મને લાગી રહ્યું છે કે આ શોના પાત્રો સાથે થોડું હટકે કશું કરવું છે. આ ઉપરાંત તેઓએ કહ્યું કે તેઓ પાત્ર સાથે જે ફિલ્મ બનાવવાનું વિચારી રહ્યાં છે તે એક એનિમેટેડ ફિલ્મ હશે. જણાવી દઈએ કે આ સિરિયલમાં ધણાં પાત્રો છેલ્લાં ધણાં સમયમાં બદલાયા છે. આ ઉપરાંત આ શોના કેટલાય પાત્રો પોતાની પર્સનલ લાઈફ્ના કારણે પણ ચર્ચામાં રહે છે. ખાસ કરીને બબીતાજી એટલે કે મુનમુન દત્તા.

Most Popular

To Top