Entertainment

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા: શોના વિવાદ વચ્ચે છ વર્ષ પછી દયાબેન વાપસી કરશે

મુંબઇ: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) ટીવી (TV) પરનો એક પ્રખ્યાત કોમેડી શો (Comedy Show) છે જે બાળકોથી લઈને વૃદ્ધો સુધી દરેકને પસંદ છે. આ શોનું દરેક પાત્ર પોતાની રીતે ખાસ છે .લાંબા સમયથી આ શોના તમામ પાત્રોએ (Characters) તારક મહેતાને અલવિદા કહી દીધું છે અને તેના સ્થાને નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે, પરંતુ એક પાત્ર એવું છે જે લાંબા સમયથી શોમાં જોવા મળ્યું નથી અને તેની જગ્યાએ કોઈ અન્ય વ્યક્તિ આવી પણ નથી, તે છે દયાબેન ઉર્ફે દિશા વાકાણી. હવે સમાચાર આવી રહ્યા છે કે દયાબેન આ શોમાં કમબેક કરી રહ્યાં છે.

હકીકતમાં શોના લેટેસ્ટ એપિસોડ મુજબ જેઠાલાલે દયાના નાના ભાઈ સુંદરને પૂછ્યું કે દયા અમદાવાદથી ક્યારે ઘરે પરત ફરશે. આના પર સુંદરે બધાને કહ્યું કે દયાબેન આ વર્ષે નવરાત્રિ કે દિવાળી પર પાછા ફરશે. એટલું જ નહિ દયાબેન ઉર્ફ દિશા વકાણીએ તેમના સોશિયલ મીડિયા પર પણ એક રીલ શેર કરી છે. આ જાહેરાત બાદ શોના ફેન્સ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઉત્સાહિત જોવા મળ્યા હતા. ચાહકોની માંગ છે કે મેકર્સ શોમાં દયાબેનની ભૂમિકામાં અભિનેત્રી દિશા વાકાણીને લાવે. બીજી તરફ કેટલાક ચાહકોનું કહેવું છે કે જો દયાબેનના રોલમાં કોઈ નવી અભિનેત્રી લાવવામાં આવશે તો તેઓ આ શો જોવાનું બંધ કરી દેશે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 15 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. ઘણી વખત આ શોના કલાકારો જતા રહ્યા અને તેઓએ મેકર્સ પર ગંભીર આરોપો પણ લગાવ્યા. આ બધાની વચ્ચે શો સતત ચાલી રહ્યો છે અને હજુ પણ ચાહકો દયાબેનના આગમનની રાહ જોઈ રહ્યા છે. વાસ્તવમાં દિશા વાકાણીએ થોડા વર્ષો પહેલા મેટરનિટી લીવ લીધી હતી. ત્યારથી તે શોમાં પાછી ફરી નથી. આ વચ્ચે એવા અહેવાલો આવ્યા હતા કે દિશા વાકાણીએ શો છોડી દીધો છે અને નિર્માતાઓ તેના સ્થાને નવો ચહેરો શોધી રહ્યા છે. જોકે હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે દિશા વાકાણી શોમાં વાપસી કરી શકે છે.

મળતી માહિતી મુજબ એક ઈન્ટરવ્યુ દરમિયાન શોના નિર્માતા અસિત મોદીએ કહ્યું હતું કે તેઓ ઘણા વર્ષોથી દિશાના શોમાં પાછા ફરવાની રાહ જોઈ રહ્યા હતા. હવે તેઓએ દયાબેનના રોલ માટે નવી અભિનેત્રીની શોધ શરૂ કરી છે. તેની જગ્યાએ નવી અભિનેત્રીને કાસ્ટ કરવી આસાન નહીં હોય પરંતુ તેઓ પ્રયત્ન કરી રહ્યા છે.

Most Popular

To Top