Entertainment

“પૈસાની લડાઇ ન હતી, સ્વાભિમાનની લડાઇ હતી” શૈલેષ લોઢા અસિત મોદી સામેનો કેસ જીત્યા

મુંબઇ: ટીવીનો લોકપ્રિય કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) ઘણા સમયથી વિવાદોમાં (Controversy) છે. અત્યાર સુધી ઘણા લોકોએ શો છોડી દીધો છે. તે જ સમયે શોમાં તારક મહેતાનું પાત્ર ભજવનાર ટીવી અભિનેતા શૈલેષ લોઢાએ (Shailesh Lodha) નિર્માતા અસિત મોદી (Asit Modi) વિરુદ્ધ કેસ (Case) દાખલ કર્યો હતો. શોના નિર્માતાઓ પર બાકી રકમ ન ચૂકવવાનો આરોપ છે. તેમજ હાલ મળતી માહિતી મુજબ ટીવી અભિનેતા શૈલેષ લોઢાએ નિર્માતા અસિત મોદી વિરુદ્ધ કાનૂની કેસ જીતી લીધો છે. કોર્ટનો નિર્ણય શૈલેષની તરફેણમાં આવ્યો છે.

કેસ જીત્યા બાદ તેમને ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા 1.05 કરોડ રૂપિયા ચૂકવવામાં આવશે. શૈલેષ લોઢા પોતાના લેણાં ક્લિયર કરવા માટે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) પહોંચ્યા હતા. ચુકાદા બાદ શૈલેષ ઘણા ખુશ છે અને તેણે આ અંગે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, આ લડાઈ ક્યારેય પૈસાની નહોતી, પરંતુ તે સ્વાભિમાન અને ન્યાયની લડાઈ હતી. જો શોની વાત કરીએ તો શૈલેષ લોઢાએ ગયા વર્ષે એપ્રિલમાં શો છોડી દીધો હતો. શૈલેષ લોઢાના વર્કફ્રન્ટની વાત કરીએ તો તેમણે વાહ વાહ, ક્યા બાત હૈ અને કોમેડી સર્કસ જેવા શોમાં કામ કર્યું છે. તેમણે 2008માં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સાથે હાથ મિલાવ્યા અને 14 વર્ષ પછી એપ્રિલ 2022માં શો છોડી દીધો. તેમની જગ્યાએ સચિન શ્રોફે તારક મહેતાની ભૂમિકા ભજવી હતી.

આ અગાઉ પણ શોના મેકર્સ પર ઘણા આરોપો લાગી ચૂક્યા છે. શોના કલાકારો જેનિફર મિસ્ત્રી અને મોનિકા ભદોરિયાએ અસિત મોદી પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. હાલમાં જ સિરીયલમાં રીટા રિપોર્ટરનું પાત્ર ભજવી ફેમસ થયેલી પ્રિયા આહુજાએ અસિત મોદી (AsitModi) પર કટાક્ષ કર્યો હતો. પ્રિયા આહુજાએ અસિત મોદીને ‘સેડિસ્ટ’ એટલે કે બીજાના દુઃખમાં આનંદ લેનાર વ્યક્તિ ગણાવ્યો છે. તેમજ આ પહેલા છેલ્લા 15 વર્ષથી શ્રીમતી રોશન કૌર સોઢીની ભૂમિકા ભજવી રહેલી અભિનેત્રી જેનિફર મિસ્ત્રી બંસીવાલે શોને છોડી દીઝો હતો. આ સાથે જ જેનિફરે સિરિયલના નિર્માતા અસિત કુમાર મોદી પર યૌન ઉત્પીડનનો આરોપ મૂક્યો હતો. 

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોને 15 વર્ષ પૂર્ણ થતાં શોનાં પ્રોડ્યુસર અસિત મોદીએ એક ખાસ એલાન કરતા કહ્યું હતું કે એક કલાકાર જેને આપણે કોઈ ન ભૂલી શક્યું એ દિશા વાકાણી એટલે કે દયાભાભી નજીકના દિવસોમાં તમને હસાવા આવી રહ્યાં છે. તેમણે કહ્યું દયાભાભી ન તો માત્ર દર્શકો પણ શોમાં પણ દરેક કલાકાર અને મેકર્સોને ખૂબ હસાવ્યાં છે. શોને 15 વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં તમામ કલાકારોને તેમણે અભિનંદન પણ પાઠવ્યાં હતા. દયાભાભીના કમબેકની અટકળો વચ્ચે હવે તેમના કમબેકના આ ઓફિશયલ ન્યૂઝ સામે આવતા ચાહકોમાં પણ ખુશીનો પાર રહ્યો નથી.

Most Popular

To Top