SURAT

સુરત: પરિણીતા લગ્નમાં પચાસ તોલા સોનું લાવી પણ ઘી વાલા પરિવારનું પેટ ન ભરાયું

સુરત : સુરતમાં (Surat) ઘી વાલા પરિવારે પરિણીતાને લગ્નના (Marriage) 3 મહિનામાં જ દહેજ માટે હેરાન કરતા પરિણીતાએ અડાજણ પોલીસ સ્ટેશનમાં (Police Station) ફરિયાદ દાખલ કરાવી છે. જેમાં જણાવ્યાનુસાર લગ્ન સમયે જ પરિણીતા પચાસ તોલા સોનુ લાવી હતી છતા પણ તેને દહેજ માટે હેરાન કરવામાં આવતી હોવાની વિગત જાણવા મળી છે.

દરમિયાન આ મામલે પરિણીતા ડોલ્ફીન નિકીતભાઇ ઘીવાલા (રહે, સેજલ એપાર્ટમેન્ટ, સાયન્સ સેન્ટરની સામે, સિટીલાઇટ) દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. જેમાં તેણે જણાવ્યુ છે કે 23 જાન્યુઆરી, 2017ના રોજ નિકીતભાઇ શીરીષભાઇ ઘીવાલા સાથે તેના લગ્ન થયા હતા. ત્યારે નિકીતને દહેજમાં પચાસ તોલા સોનું આપવામાં આવ્યુ હતુ. દરમિયાન લગ્નના 3 મહિના પછી પતિ તથા સાસુ અને નણંદ પરિણીતાને શારિરીક અને માનસિક યાતના વારંવાર આપતા હતા. આ મામલે પરિણીતાથી જ્યાં સુધી સહન થતું હતું ત્યાં સુધી કર્યુ હતુ. પણ બાદમાં સાસરિયાઓએ દહેજ માંગતા નાછૂટકે અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાં પતિ નિકીતભાઇ શીરીષ ઘીવાલા (ઉ. વર્ષ 36) સાસુ જ્યોતિબેન શીરિષભાઇ ઘીવાલા (ઉ. વર્ષ 65) નણંદ સેજલબેન સંજયભાઇ મોદી (ઉ. વર્ષ 45) અને અમી સંજય મોદી
(તમામ રહેવાસી : યોગેશ્વર પાર્ક, રેખા પાર્કની બાજુમાં, એક્વેરીયમ હાઉસની સામે, પાલ હજીરા) સામે દહેજધારા અન્વયે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

સોનગઢમાં રૂપિયા અને લગ્ન કરવાની લાલચ આપી નરાધમે સગીરાને ગર્ભવતી બનાવી
વ્યારા: સોનગઢના સાતકાશી ગામે નિશાળ ફળિયામાં રહેતા યુવાને સગીરા ઉપર અવારનવાર બળાત્કાર ગુજાર્યો હતો. રૂપિયા અને લગ્ન કરવાની લાલચ આપી સગીરા સાથે તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરતાં તે ગર્ભવતી બની હતી. આ હવસખોર વિરુદ્ધ સોનગઢ પોલીસમથકે ફરિયાદ નોંધાઇ હતી.

સોનગઢ તાલુકાના સાતકાશી ગામે નિશાળ ફળિયામાં રહેતા દિનેશ ભીલા વસાવાએ આશરે ૧૭ વર્ષની સગીરાને ડરાવી-ધમકાવી અવારનવાર બળાત્કાર ગુજાર્યો હતો. આશરે છ મહિના પહેલાં દિનેશ વસાવાએ ગામમાં ઢોર ચરાવતી સગીરાની એકલતાનો લાભ લઈ લગ્ન કરવાની લાલચે દુષ્કર્મ આચર્યું હતું. ત્યાર બાદ સગીરાની મરજી વિરુદ્ધ રૂપિયા અને લગ્નની લાલચ આપતાં અવારનવાર બળાત્કાર ગુજાર્યો હતો. આમ, સગીરાને ગર્ભ રહી જતાં મામલો બહાર આવ્યો હતો. સગીરાના પરિવારજને સોનગઢ પોલીસમથકે આરોપી દિનેશ ભીલા વસાવા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

Most Popular

To Top