Entertainment

શું હવે જેઠાલાલના ફાયરબ્રિગેડ પણ તેનો હાથ છોડશે? આ કલાકાર શો છોડવાની તૈયારીમાં

મુંબઈ: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Tarak Mehtaka Ulta Chashma) સીરિયલથી કોણ વાકેફ નથી. દેશ તેમજ વિદેશમાં આ સીરિયલના જબરદસ્ત ફેન છે. પરંતુ આજરોજ એવા સમાચાર (News) બહાર આવ્યાં છે કે જે તમને પણ સ્તબધ કરી દેશે. મળતી માહિતી મુજબ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલના મુખ્ય કલાકાર એટલેકે શૈલેષ લોઢા લગભગ 14 વર્ષ બાદ શો (Show) છોડવાનો નિર્ણય કર્યો છે. અત્યાર સુધી તો ચાહકો દયાબેનની રાહ જોતા હતા, પરંતુ હવે શોની કરોડરજ્જુ સમાન એવાં શૈલેષ લોઢા આ શો ને અલવિદા કહેશે. દિશા વાકાણી, નેહા મહેતા, ગુરુ ચરણસિંહ પછી હવે વધુ એક કલાકાર આ શોમાંથી બાકાત થઈ જવા રહ્યાં છે. આ ઉપરાંત સૂત્રો પાસેથી માહિતી મળી આવી છે કે શૈલેષ લોઢા છેલ્લા 1 મહિનાથી શો માટે શૂટિંગ કરી રહ્યાં નથી.

  • શૈલેષ લોઢા છેલ્લા 1 મહિનાથી શો માટે શૂટિંગ કરી રહ્યાં નથી
  • શૈલેષ લોઢા તેમના મેકર્સથી ખુશ નથી
  • શૈલેષ લોઢાએ તેઓને મળેલી અસંખ્ય તકોને ઠુકરાવી દીધી
  • મહેતા સાહેબે શોને અલવિદા કહ્યું તે અંગે હજુ કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી

મળતી માહિતી મુજબ શૈલેષ લોઢા તેમના મેકર્સથી ખુશ નથી. તેઓના મતે શોના શુટિંગ માટે ફાળવેલી તેઓની તારીખોનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવી રહ્યો નથી. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો છોડવાનું બીજું કારણ એ છે કે પ્રતિભાશાળી કલાકારો અન્ય તકો શોધી શકતા નથી. તાજેતરના સમયમાં શૈલેષ લોઢાએ તેઓને મળેલી અસંખ્ય તકોને ઠુકરાવી દીધી હતી. પરંતુ હવે તેઓ અન્ય તક ગુમાવવા માંગતા નથી.

સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે પ્રોડક્શન હાઉસ શૈલેષ લોઢાને શોમાં કામ કરવા તમામ પ્રયાસો કરી રહ્યું છે. પરંતુ લાગી રહ્યું છે કે શૈલેષ લોઢાએ પોતાનું મન મક્કમ કરી લીધું છે કે તેઓઆ આ શોમાં પરત આવવું જ નથી. જો કે મહેતા સાહેબે શોને અલવિદા કહ્યું તે અંગે હજુ કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. તેમજ મેકર્સ તરફથી પણ કોઈ પ્રતિક્રિયા આવી નથી.

જણાવી દઈએ કે શૈલેષ લોઢા સિરિયલમાં ‘તારક મહેતા’નું મુખ્ય પાત્ર ભજવે છે. સિરિયલમાં તારક મહેતા તેમજ જેઠાલાલની ગાઢ મિત્રતા બતાવવામાં આવી છે. તેમજ જેઠાલાલ તેઓને પોતાના ફાયરબ્રિગેડ તરીકે માને છે.

Most Popular

To Top