National

PM મોદીએ અજમેર દરગાહ શરીફ માટે ચાદર મોકલી, નિવાસ સ્થાને મુસ્લિમ સમુદાયના લોકોને મળ્યા

નવી દિલ્હી: (New Delhi) અયોધ્યામાં રામ લલ્લાના અભિષેકના થોડા દિવસો પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) મુસ્લિમ સમુદાયના લોકોને મળ્યા હતા. પીએમ મોદીએ આ બેઠક તેમના નિવાસસ્થાને યોજી હતી. પીએમ મોદીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ મીટિંગની કેટલીક તસવીરો શેર કરતા કહ્યું કે આ દરમિયાન તેમણે ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહ માટે ચાદર પણ મોકલી છે.

પીએમ મોદીએ પોતાના ટ્વિટમાં લખ્યું છે કે મુસ્લિમ સમુદાયના લોકોને મળીને મેં તેમને પવિત્ર ચાદર આપી, જે અજમેરના ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીના વાર્ષિક ઉર્સ દરમિયાન ચઢાવવામાં આવશે. તમને જણાવી દઈએ કે પીએમ મોદી દર વર્ષે આ ઉર્સ માટે પોતાની તરફથી એક ચાદર મોકલે છે. જે ઉર્સ દરમિયાન મઝાર પર ચઢાવવામાં આવે છે. આ દરમિયાન કેન્દ્રીય લઘુમતી કલ્યાણ મંત્રી સ્મૃતિ ઈરાની પણ મુસ્લિમ સમુદાયના લોકોની સાથે હતા.

તમને જણાવી દઈએ કે આ પહેલા સ્મૃતિ ઈરાની મદીના શહેર ગયા હતા. અહીં તે બે દિવસ રોકાયા અને મદીનાની ઐતિહાસિક મસ્જિદ મસ્જિદ-એ-નબવીની પણ મુલાકાત લીધી હતી. આ સમય દરમિયાન વિદેશ પ્રધાન (રાજ્ય પ્રભાર) સી મુરલીધરન અને એક પ્રતિનિધિમંડળ પણ તેમની સાથે હતું. સ્મૃતિ ઈરાનીએ ભારતથી ઉમરાહ પર જઈ રહેલા શ્રદ્ધાળુઓ સાથે પણ વાતચીત કરી હતી. સ્મૃતિ ઈરાનીએ હજ 2024 માટે ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે પરસ્પર કરાર પર પણ હસ્તાક્ષર કર્યા હતા.

Most Popular

To Top