Gujarat

નૂતન વર્ષ ૫ નવેમ્બરે મુખ્યમંત્રી ગાંધીનગર-અમદાવાદમાં પ્રજાજનો સાથે શુભેચ્છા આપ-લે કરશે

વિક્રમ સંવત-ર૦૭૮ના પ્રારંભ દિવસે તા.૫ નવેમ્બરે સવારે ૭ કલાકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરમાં પંચદેવ મંદિરના દર્શન કરી નૂતન વર્ષનો પ્રારંભ કરશે. ત્યારબાદ તેઓ ૭:૨૫ વાગ્યે અડાલજ ખાતે ત્રિમંદિરમાં દર્શન પૂજા માટે જશે.

એ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નૂતન વર્ષ નિમિત્તે મંત્રીમંડળ નિવાસ સંકુલમાં આવેલા કોમ્યુનિટી સેન્‍ટર ખાતે સવારે ૮થી ૮:૪૫ સુધી નાગરિકો-પ્રજાજનો સાથે નૂતન વર્ષાભિનંદન અને શુભેચ્છાઓનું આદાન-પ્રદાન કરશે. આ ઉપરાંત ૧૦:૨૦ વાગ્યે અમદાવાદમાં ભદ્રકાળી માતાના મંદિરે દર્શનાર્થે પણ જશે.

સવારે ૧૦:૪૫થી ૧૧:૪૫ કલાક સુધી અમદાવાદમાં એનેક્ષી સરકીટ હાઉસ, શાહીબાગ ખાતે નાગરિકો સાથે નવા વર્ષની શુભેચ્છાઓની આપ-લે કરશે. મુખ્યમંત્રી નૂતન વર્ષ દિવસે બપોરે ૧૧:૫૦ કલાકે શાહીબાગ ડફનાળા ખાતે પોલીસ ઓફિસર્સ મેસમાં વરિષ્ઠ પોલીસ ઓફિસરો અને તેમના પરિવારોને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવવા ઉપસ્થિત રહેશે.

Most Popular

To Top