National

પટિયાલામાં વૃદ્ધ સાથે થયેલા ઝઘડાના 34 વર્ષ જૂના કેસમાં નવજોત સિંહ સિદ્ધુને 1 વર્ષની સજા

નવી દિલ્હી: નવજોત સિંહ સિદ્ધુ(Navjot Singh to Sidhu)ને મોટો ઝટકો લાગ્યો છે. રોડ રેજ કેસમાં સુપ્રીમ કોર્ટે(supreme court) સિદ્ધુને એક વર્ષની સજા(Punishment) ફટકારી છે. અગાઉ આ કેસમાં સિદ્ધુને રાહત મળી હતી. જો કે રોડ રેજમાં મૃત્યુ પામનાર વ્યક્તિના પરિવારે રિવ્યુ પિટિશન દાખલ કરી હતી. જેમાં કોર્ટે પોતાનો અગાઉનો નિર્ણય બદલી નાખ્યો છે. હવે સિદ્ધુને એક વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે. સજા સંભળાવ્યા બાદ સિદ્ધુને કસ્ટડીમાં લેવામાં આવશે.

  • 27 ડિસેમ્બર 1988ના રોજ વૃદ્ધ સાથે ઝઘડો થયો હતો
  • સેશન્સ કોર્ટે નિર્દોષ છોડ્યો, હાઈકોર્ટે સજા ફટકારી
  • સુપ્રીમ કોર્ટે દંડ આપીને માફ કર્યો

આ મામલો લગભગ 34 વર્ષ જૂનો છે. જ્યારે નવજોત સિદ્ધુ અને તેના મિત્ર વચ્ચે પટિયાલામાં પાર્કિંગને લઈને ઝઘડો થયો હતો. જેમાં એક 65 વર્ષીય વ્યક્તિનું મોત થયું હતું. આ કેસમાં હાઈકોર્ટે સિદ્ધુને દોષિત ઠેરવ્યા હતા, પરંતુ સુપ્રીમ કોર્ટે દોષિત હત્યાના આરોપને ફગાવી દીધો હતો. આ પછી બે વર્ષ પહેલા પરિવારના સભ્યોએ રિવ્યુ પિટિશન દાખલ કરી હતી. જેનો સિદ્ધુના વકીલોએ અરજીનો વિરોધ કર્યો હતો.

34 વર્ષ પહેલા વૃદ્ધ સાથે ઝઘડો થયો હતો
સિદ્ધુ સામેનો રોડ રેજ કેસ વર્ષ 1988નો છે. 27 ડિસેમ્બર 1988ની સાંજે સિદ્ધુ તેના મિત્ર રુપિન્દર સિંહ સંધુ સાથે પટિયાલાના શેરાવલે ગેટ પર માર્કેટ પહોંચ્યા. આ જગ્યા તેમના ઘરથી 1.5 કિમી દૂર છે. તે સમયે સિદ્ધુ ક્રિકેટર હતો. તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દી એક વર્ષ પહેલા જ શરૂ થઈ હતી. તે જ માર્કેટમાં કાર પાર્કિંગને લઈને 65 વર્ષીય ગુરનામ સિંહ સાથે તેની દલીલ થઈ હતી. મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. સિદ્ધુએ ગુરનામ સિંહને ઘૂંટણિયે પછાડ્યો. ત્યારપછી ગુરનામ સિંહને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં તેમનું મૃત્યુ થયું. અહેવાલો આવ્યા હતા કે ગુરનામ સિંહનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું હતું. પોલીસે નવજોત સિંહ સિદ્ધુ અને તેના મિત્ર રુપિન્દર સિંહ સિદ્ધુ વિરુદ્ધ હત્યા નહીં પણ દોષિત હત્યાનો કેસ નોંધ્યો છે.

સેશન્સ કોર્ટે નિર્દોષ છોડ્યો, હાઈકોર્ટે સજા ફટકારી
ત્યાર બાદ મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. સુનાવણી દરમિયાન સેશન્સ કોર્ટે 1999માં પુરાવાના અભાવે નવજોત સિંહ સિદ્ધુને નિર્દોષ જાહેર કર્યા હતા. વર્ષ 2002માં પંજાબ સરકારે સિદ્ધુ વિરુદ્ધ હાઈકોર્ટમાં અપીલ કરી હતી. આ દરમિયાન સિદ્ધુએ રાજકારણમાં પ્રવેશ કર્યો. 2004ની લોકસભા ચૂંટણીમાં, તેઓ ભાજપની ટિકિટ પર અમૃતસર બેઠક પરથી લડ્યા અને જીત્યા. આ પછી, પીડિત પક્ષ સેશન્સ કોર્ટના નિર્ણય સામે હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. વર્ષ 2006માં હાઈકોર્ટે આ કેસમાં નવજોત સિંહ સિદ્ધુને ત્રણ વર્ષની જેલ અને એક લાખ રૂપિયાના દંડની સજા ફટકારી હતી. સિદ્ધુએ લોકસભામાંથી રાજીનામું આપી દીધું છે.

સુપ્રીમ કોર્ટે દંડ આપીને માફ કર્યો
હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલી સજા વિરુદ્ધ નવજોત સિદ્ધુ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા હતા. 16 મે, 2018 ના રોજ, સુપ્રીમ કોર્ટે સિદ્ધુને કલમ 304 IPC હેઠળ દોષિત હત્યા માટે નિર્દોષ જાહેર કર્યા હતા. જો કે, સિદ્ધુને આઈપીસીની કલમ 323 એટલે કે ઈજા પહોંચાડવાના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા. આ માટે તેને જેલની સજા થઈ નથી. સિદ્ધુને માત્ર એક હજાર રૂપિયાનો દંડ ભરીને છોડી દેવામાં આવ્યો હતો.

પીડિત પરિવારની આ માંગ છે
હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. ભાજપના દિવંગત નેતા અરુણ જેટલીએ સિદ્ધુ વતી કેસ લડ્યો હતો. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના નિર્ણય પર સ્ટે મુક્યો હતો. 2007માં સિદ્ધુ ફરી અમૃતસરથી ચૂંટણી જીત્યા. સુપ્રીમ કોર્ટના આ નિર્ણય સામે હવે મૃતકના પરિવારે રિવ્યુ પિટિશન દાખલ કરી હતી. તેમની માંગ હતી કે હાઈકોર્ટની જેમ સિદ્ધુને પણ 304 IPC હેઠળ સજા થવી જોઈએ. સુપ્રીમ કોર્ટે આ અરજી સ્વીકારી હતી. જેના પર આજે નિર્ણય આવ્યો અને સિદ્ધુને 1 વર્ષની સજા ફટકારી છે.

Most Popular

To Top