Dakshin Gujarat

ઝઘડિયામાં 3 વર્ષથી લિવ ઇન રિલેશનશીપમાં રહેતા પ્રેમીએ પ્રેમિકાને મોતને ઘાટ ઉતારી દીધી

ઝઘડિયા: (Jhagadia) આદિવાસી ઝઘડિયા પંથકમાં અગાઉ 5 જૂને નાના સાંજા ખાતે લિવ ઇનમાં રહેતા પ્રેમીએ પ્રેમિકાની હત્યા (Murder) કરી દીધી હતી. જે બાદ 18 દિવસમાં જ લિવ ઇન રિલેશન (Live in Relationship) રહેતી મહિલાની હત્યાની બીજી ઘટના સામે આવી છે. ઝઘડિયા તાલુકાના ખાલક કંપની ગામે 52 વર્ષીય મંજુલાબેન મુસાભાઈ વસાવા સુરેશ સરાદ વસાવા સાથે લગ્ન (Marriage) કર્યા વગર પતિ-પત્ની તરીકે રહેતાં હતાં.

  • ઝઘડિયામાં 3 વર્ષથી લિવ ઇન રિલેશનશીપમાં રહેતા પ્રેમીએ પ્રેમિકાને મોતને ઘાટ ઉતારી
  • આદિવાસી પંથકમાં લિવ ઇન રિલેશનમાં 18 દિવસમાં જ બીજી મહિલાની હત્યા
  • ખાલક કંપની ગામે આડા સંબંધના વહેમમાં પ્રેમીએ પ્રેમિકાની ધારદાર હથિયાર વડે હત્યા કરી

છેલ્લાં ત્રણ વર્ષથી બંને લિવ ઇન રિલેશનમાં રહેતાં હતાં. જો કે, સુરેશે 20 જૂને 52 વર્ષીય મંજુલાબેન ઉપર આડા સંબંધનો વહેમ રાખી ઝઘડો અને મારઝૂડ કરી હતી. જેને લઈ મહિલા તેના ભાઈ બાબુ મુસા વસાવાના ઘરે આવી ગઈ હતી. બીજા દિવસે 21 જૂને સુરેશ ત્યાં આવી પહોંચી તું મારી સાથે ઘરે ચાલ, નહીં તો મારી નાંખીશ તેમ કહેતાં તે પાછી સુરેશ વસાવા જોડે તેના ઘરે ગઈ હતી. દરમિયાન 22 જૂને સાંજે સુરેશે કોઈ ધારદાર હથિયાર વડે મંજુલાબેનને મોં, કપાળ, માથા અને હાથ-પગ ઉપર માર મારી હત્યા કરી હતી. આધેડ પ્રેમિકાની હત્યા કરી પ્રેમી ફરાર થઇ જતાં મૃતકના ભાઈની ફરિયાદના આધારે ઝઘડિયા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

તડકેશ્વરની સીમમાંથી યુવાનની લાશ મળી
માંડવી: માંડવીના તડકેશ્વર ગામની હદમાં રાત્રે નહેરના રસ્તા ઉપરથી એક પુરુષની લાશ મળી આવી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ માંડવીના તડકેશ્વર ગામની હદમાં આવેલી કાકરાપાર જમણા કાંઠાની નહેર પર આવેલા ભંગિયાવાળા પુલથી નરોલી નીકળતા ખેતરવાડીના રસ્તા ઉપરથી વસંત પીતાંબર ભોઈ (ઉં.વ.૩૮) (રહે., ૫૫-ક્રિષ્નાનગર સોસા., વિભાગ-૧, ડિંડોલી, સુરત, મૂળ રહે.,નાદેર, તા.ધનગાંવ, જિ.જલગાંવ, મહારાષ્ટ્ર)ની લાશ મળી હતી. આથી પોલીસને જાણ કરતા ઘટનાં સ્થળ ઉપર આવી ગણતરીના કલાકોમાં જ એમના વારસદારોને શોધી કાર્યવાહી હાથ ધરી મરણ જનારને બોધાન ખાતે સરકારી દવાખાનામાં પી.એમ. કરાવી લાશનો કબજો એમના વાલી વારસોને સોંપાયો હતો અને આગળની તપાસ પોસઇ એસ.એમ.પટેલે હાથ ધરી હતી.

Most Popular

To Top