Gujarat

મંજૂરી વગર જામનગરના રાજકીય સંમેલનમાં પ્રવચન કરવાના કેસમાં હાર્દિક પટેલ નિર્દોષ

ગાંધીનગર: જામનગરના (Jamnagar) ધુળસિયા ગામમાં મંજૂરી વગર રાજકીય સંમેલન કરવાના કેસમાં હવે વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલને સ્પેશિયલ કોર્ટ (Special Court) દ્વારા રાહત મળી છે. આ કેસમાં સ્પેશિયલ કોર્ટે હાર્દિક પટેલને નિર્દોષ જાહેર કર્યા છે.

તા. 4 નવેમ્બર 2017માં જ્યારે પાટીદાર આંદોલન ચાલી રહ્યું હતું તે દરમિયાન પૂર્વ પાસ નેતા હાર્દિક પટેલની આગેવાનીમાં જામનગરના ધુળસિયામાં એક સભા યોજાઈ હતી. જે સભાની મંજૂરી શૈક્ષણિક હેતુથી લીધી હતી અને તેમાં રાજકીય ભાષણ થતાં આ મુદ્દે ફરિયાદ થઈ હતી. જેમાં જામનગર પાસ કન્વીનર અને હાર્દિક પટેલ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આજે સ્પેશિયલ કોર્ટે ચુકાદો જાહેર કરીને હાર્દિક પટેલને આરોપી તરીકે નિર્દોષ જાહેર કર્યો છે.

Most Popular

To Top