World

ઓમાનના દરિયાકાંઠે ભારતીય જહાજ ડૂબ્યું, US નેવીએ બચાવી 14 ક્રૂ સભ્યોની જાન

એવા અહેવાલો બહાર આવ્યા છે કે ‘MSV વિરાટ 1’ ભારતીય ક્રૂ દ્વારા સંચાલિત ભારતીય જહાજ ઓમાનના રાસ અલ હદ્દથી લગભગ 80 નોટિકલ માઇલ (લગભગ 180 કિલોમીટર) દૂર ડૂબી ગયું છે. ત્યારબાદ અરબી સમુદ્રમાં એક મોટું દરિયાઈ બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. યુએસ નેવી તરફથી મળેલી માહિતી અનુસાર ૧૪ ભારતીય ક્રૂ સભ્યોને લઈને આવેલ જહાજ મુશ્કેલીમાં મુકાઈ ગયું હતું અને ડૂબી જવાના ભયમાં હતું. ચેતવણી મળતાં ભારતીય અધિકારીઓએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી અને વિસ્તારમાં હાજર ભારતીય નૌકાદળના જહાજોને ઘટનાસ્થળે મોકલ્યા.

યુએસ નેવીની બચાવમાં મહત્વપૂર્ણ ભૂમિકા
દરમિયાન એક મહત્વપૂર્ણ પગલામાં યુએસ નેવીનું P-8 મેરીટાઇમ પેટ્રોલ એરક્રાફ્ટ ઘટનાસ્થળે પહોંચ્યું અને ફસાયેલા ક્રૂ સભ્યો માટે લાઇફ રાફ્ટ છોડી દીધો. વિમાને તેમની પરિસ્થિતિનું નિરીક્ષણ કરવાનું ચાલુ રાખ્યું. બધા ૧૪ ક્રૂ સભ્યો ડૂબતા જહાજને સફળતાપૂર્વક છોડીને લાઇફ રાફ્ટમાં સવાર થઈ ગયા.

નોંધનીય છે કે સેન્ટ કિટ્સ અને નેવિસનો ધ્વજ લહેરાવતું વાણિજ્યિક જહાજ ‘એમવી જબલપુર અલી 9’ દ્વારા પણ સહાય પૂરી પાડવામાં આવી હતી. તેણે મુશ્કેલીમાં મુકાયેલા જહાજ તરફ જવા માટે પોતાનો માર્ગ બદલી નાખ્યો હતો. ભારતીય ક્રૂની બોટ ઓમાનના સોહર ખાતે છેલ્લો સ્ટોપ બનાવીને મુંબઈ જઈ રહી હતી.

તમામ 14 ભારતીય ક્રૂ સભ્યો લાઇફ રાફ્ટમાં સવાર
‘એમવી જબલપુર અલી 9’ દ્વારા મળેલી માહિતી અનુસાર સમાચાર લખાય છે ત્યાં સુધી તમામ 14 ભારતીય ક્રૂ સભ્યો લાઇફ રાફ્ટમાં સવાર થયા છે અને બચાવની રાહ જોઈ રહ્યા છે. ક્રૂ સભ્યો ગંભીર સ્થિતિમાં ન હોવાનું જાણવા મળ્યું છે અને બચાવ ટીમો તેમને સલામત સ્થળે પહોંચાડવા માટે સ્થળ પર છે.

ભારતીય નૌકાદળના જહાજો આ વિસ્તાર તરફ આગળ વધી રહ્યા છે. વધુમાં આંતરરાષ્ટ્રીય દરિયાઈ એજન્સીઓ અને નજીકના જહાજો સાથે સંકલન કરવામાં આવી રહ્યું છે. અધિકારીઓ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે. ક્રૂ સભ્યોને બચાવવા અને શક્ય તેટલી વહેલી તકે સલામત સ્થળે લાવવાના પ્રયાસો ચાલુ છે.

Most Popular

To Top