National

ASI સર્વે રિપોર્ટમાં દાવો- જ્ઞાનવાપી મસ્જિદની અંદર મળ્યું મંદિરનું માળખું

વારાણસી: (Varanasi) જ્ઞાનવાપી મસ્જિદને (Masjid) લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. વારાણસી ડિસ્ટ્રિક્ટ કોર્ટે હિંદુ અને મુસ્લિમ બંને પક્ષકારોને ASI રિપોર્ટ સોંપ્યો છે. હિન્દુ પક્ષના વકીલ વિષ્ણુ શંકર જૈને એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં તેમણે દાવો કર્યો હતો કે તે હિન્દુ મંદિર છે. એએસઆઈના રિપોર્ટને ટાંકીને તેમણે કહ્યું કે એએસઆઈએ કહ્યું છે કે હાલના બંધારણના નિર્માણ પહેલા ત્યાં એક મોટું હિન્દુ મંદિર અસ્તિત્વમાં હતું. આ ASIનું નિર્ણાયક તારણ છે.

ASIને જાણવા મળ્યું છે કે હિંદુ મંદિરનું માળખું 17મી સદીમાં તોડી પાડવામાં આવ્યું હતું અને કાટમાળનો ઉપયોગ મસ્જિદ બનાવવા માટે કરવામાં આવ્યો હતો. હિંદુ દેવી-દેવતાઓના અવશેષો બે ભોંયરામાં મળી આવ્યા છે. ASIના રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે મસ્જિદની પશ્ચિમી દિવાલ હિંદુ મંદિરનો ભાગ છે. મંદિરને તોડી પાડવાનો આદેશ અને તારીખ પર્શિયનમાં પથ્થર પર મળી આવી છે. મહામુક્તિ મંડપ લખેલ એક પથ્થર પણ મળી આવ્યો છે. વિષ્ણુ શંકર જૈને કહ્યું કે તેઓ વજુખાનાનાં સર્વેની (Survey) માંગ કરશે.

Most Popular

To Top