SURAT

ક્વોરન્ટાઈન હેઠળ રખાયેલો દર્દી નવી સિવિલ હોસ્પિ.માંથી ભાગી ગયો

પાંડેસરા વિસ્તારમાં રહેતો યુવક શંકાસ્પદ કોરોના હેઠળ નવી સિવિલ હોસ્પિ. હોસ્પિટલમાં દાખલ હતો. દરમિયાન આજે બપોરે તે હોસ્પિટલમાંથી ભાગી જતાં પાંડેસરા પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે. પાંડેસરા સ્થિત ક્રિષ્ણા નગરમાં રહેતા 32 વર્ષીય જગદીશ રામેશ્વર નિસાદને શંકાસ્પદ કોરોનાના લક્ષણો સાથે નવી સિવિલ હોસ્પિ. હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. 3 એપ્રિલે યુવકનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતાં તેને જી-0 વોર્ડમાં ક્વોરન્ટાઈન હેઠળ દાખલ કરાયો હતો. દરમિયાન 14 દિવસનો ક્વોરન્ટાઇ પિરિયડ પૂરો થાય તે પહેલાં જ આ યુવક હોસ્પિટલમાંથી ભાગી ગયો હતો. વોર્ડમાં નર્સિંગ સ્ટાફે તેની શોધખોળ કરતા તે ગાયબ જણાતા તાત્કાલિક નવી સિવિલ હોસ્પિ.માં પોલીસ ચોકીમાં જાણ કરાઈ હતી. નવી સિવિલ હોસ્પિ.માંથી પાંડેસરા પોલીસને જાણ કરાઈ હતી. પાંડેસરા પોલીસે યુવકની શોધખોળ શરૂ કરી હતી.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top