Gujarat

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ 26 અને 28 નવેમ્બરે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે આવશે

અમદાવાદ : ગુજરાત (Gujarat) વિધાનસભાની ચૂંટણીને (Election) મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. આજે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીએ ગુજરાતમાં બે જનસભાઓને સંબોધન કર્યું હતું. આગામી 26 અને 28 નવેમ્બરે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ગુજરાતમાં ચૂંટણી પ્રચારમાં આવશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પાર્ટીઓએ પોતાનો પ્રચાર તેજ કરી દીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત અનેક દિગ્ગજ નેતાઓ છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતમાં ચૂંટણી સભાઓ ગજવી રહ્યા છે. ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આગામી 26 અને 28 નવેમ્બરના રોજ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે આવી રહ્યા છે. આ બે દિવસ દરમિયાન તેઓ કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અનેક સ્થળોએ ચૂંટણી જનસભાને સંબોધશે.

Most Popular

To Top