National

રાજ્યસભામાં ધક્કામુક્કી: વિપક્ષ-સરકાર વચ્ચે સામસામા આક્ષેપો

ભારે ધાંધલને લીધે રાજ્યસભાની બેઠક અનિશ્ચિત કાળ માટે સ્થગિત થયાના બીજા દિવસે આજે રાજ્યસભામાં ધમાલ મામલે સરકાર અને વિપક્ષ વચ્ચે આરોપ-પ્રત્યારોપ આખો દિવસ ચાલ્યા હતા.. રાજ્યસભામાં મંગળવારે વિપક્ષની ધમાલને લીધે માર્શલ બોલાવવા પડ્યા હતા.
આજે એના સીસીટીવી ફૂટેજ જારી કરાયા હતા જેમાં વિપક્ષી સાંસદો ગૃહમાં સુરક્ષા કર્મીઓ સાથે ધક્કામુક્કી કરતા દેખાય છે. વિપક્ષો એક ખરડાને પ્રવર સમિતિને મોકલવાની માગ કરી રહ્યા હતા. છતાં ખરડો પસાર કરાતા ધમાલ થઈ હતી. એક સાંસદ ટેબલ પર ચઢી ગયેલા દેખાય છે. ગુરુવારે સરકાર અને વિપક્ષ વચ્ચે આક્ષેપો અને પ્રતિ-આક્ષેપોના જોવા મળ્યા હતા.

વિપક્ષનો આક્ષેપ: સાંસદોને ધક્કે ચઢાવવા બહારનાને બોલાયાવા, મહિલા સાંસદો સાથે ગેરવર્તન, સરકારનો ઇનકાર

શરદ પવારે આક્ષેપ કર્યો કે રાજ્યસભામાં મહિલા સાંસદો સાથે ગેરવર્તન થયું હતું અને વિપક્ષી સાંસદોને ધક્કે ચઢાવવા બહારના માણસો બોલાવાયા હતા. તેમણે કહ્યું કે મારી 55 વર્ષની સંસદીય કારકિર્દીમાં મેં પવિત્ર ગૃહમાં મહિલા સાંસદો સાથે આ પ્રકારનું વર્તન જોયું નથી. આ દુ:ખદ અને લોક્શાહી પર હુમલો છે. આ મામલે પૂછાતા કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયેલે કહ્યૂં કે માર્શલો ન તો શાસક પક્ષના છે, ન વિપક્ષના. એ સભ્યો દ્વારા મહિલા માર્શલને હકીકતમાં ધક્કે ચઢાવાઇ હતી. પવારને કદાચ ખોટી માહિતી અપાઇ છે. ત્યારબાદ સંસદમાં તૈનાત સુરક્ષા અધિકારીઓનું નિવેદન મોડી સાંજે બહાર આવ્યું હતું. તેમણે કહ્યું કે, સાંસદોનું વર્તન ખૂબ જ આક્રમક હતું. સુરક્ષા સહાયક અક્ષિતા ભટ્ટે કહ્યું કે, વિરોધમાં સામેલ કેટલાક પુરુષ સાંસદો મારી તરફ દોડ્યા હતા અને સુરક્ષા કોર્ડન તોડવાનો પ્રયાસ કર્યો હતો.

જ્યારે મેં વિરોધ કર્યો ત્યારે સાંસદ છાયા વર્મા અને ફૂલો દેવી નેતામે એક તરફ હટી ગયા હતા અને પુરૂષ સાંસદોને કૂવા સુધી પહોંચવાનો રસ્તો આપ્યો હતો. અક્ષિતાએ કહ્યું કે, બંને મહિલા સાંસદોએ સાથી પુરૂષ સાંસદોને સુરક્ષા કોર્ડન તોડવામાં મદદ કરી હતો. તેમને બળજબરીથી મારા હાથ પકડીને મને ખેંચી હતી.

સુરક્ષા અધિકારી રાકેશ નેગીએ જણાવ્યું હતું કે, 11 ઓગસ્ટના રોજ હું ગાર્ડની ડ્યુટી માટે રાજ્યસભામાં પોસ્ટ થયો હતો. આ દરમિયાન સાંસદો અલમારાન કરીમ અને અનિલ દેસાઈએ સુરક્ષા કોર્ડન તોડવાનો પ્રયાસ કર્યો હતો. સાંસદ અલમારાન કરીમે મારુ ગળું પકડીને મને સુરક્ષા કોર્ડનથી દૂર કર્યો હતો. ગળું પકડવાના કારણે મને એક ક્ષણ માટે ગૂંગળામણ થઈ હતી.

મોદી સરકારના 8 પ્રધાનોએ પત્રકાર પરિષદ યોજી: વિપક્ષે વધુ ખરડા પસાર ન કરવા ધમકી આપી હતી, વિપક્ષ માફી માગે

બપોરે સરકારના 8 મંત્રીઓએ એક પત્રકાર પરિષદ યોજી હતી અને વિપક્ષના દરેક આરોપોનો ક્રમબદ્ધ રીતે જવાબ આપ્યો હતો. તેમને આ પત્રકાર પરિષદમાં સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશી, માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર, વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ ઉપરાંત મુખ્તાર અબ્બાસ નકવી, ધર્મેન્દ્ર પ્રધાન, અર્જુન મેઘવાલ અને વી મુરલીધરને લગભગ 48 મિનિટ સુધી જવાબ આપ્યો હતો. તેમણે આક્ષેપ કર્યો કે વિપક્ષી નેતાઓને કેન્દ્રીય મંત્રીઓને ધમકાવ્યા હતા કે જો ઓબીસી ખરડાને સંસદની મંજૂરી બાદ વધારે ખરડા પસાર થશે તો વધારે નુક્સાન થશે. પ્રધાનોએ વિપક્ષ પાસેથી એમના વિક્ષેપની વર્તણૂક માટે માફીની માગણી કરી હતી.

Most Popular

To Top