Gujarat Main

ભાજપે રાજ્યસભાના ઉમેદવારોના નામ જાહેર કર્યા, રામભાઇ મોકરિયા અને દિનેશ પ્રજાપતિની પસંદગી

ગાંધીનગર (Gandhinagar): મંગળવારે ભાજપે પોતાના રાજ્યસભાના ઉમેદવાર જાહેર કર્યા છે. કોરોનાથી (Corona Virus/Covid-19) સાસંદ અભય ભારદ્રાજના (MP Abhay Bhardwaj) નિધન પછી રાજ્યસભામાં ભાજપની એક બેઠક ખાલી પડી હતી. સમાચાર આવ્યા છે કે ભાજપે સાંસદ અજય ભારદ્રાજના વિકલ્પરૂપે ‘મારૂતી કુરિયર્સ’ના (Maruti Couriers) ચેરમેન અને ફાઉન્ડર રામભાઈ મોકરિયાને (Rambhai Mokriya) અને દિનેશ પ્રજાપતિ (Dinesh Prajapati)ને ટિકિટ આપી છે.

હાલમાં રાજ્યસભાની કુલ 11 બેઠકોમાંથી 7 જેટલી ભાજપ પાસે છે. પરસોતમ રૂપાલા, મનસુખ માંડવિયા, નરહરિ અમીન, રમીલા બારા, ડૉ.એસ.જયશંકર અને જુગલજી ઠાકોર અને અભય ભારદ્વાજ આ બેઠકોના સાંસદ છે. જેમાંથી અભય ભારદ્રાજનું કોરોનાના કારણે નિધન થયુ હતુ. બીજી બાજુ કોંગ્રેસે પણ પોતાના ચાણ્ક્ય અહમદ પટેલને કોરોનામાં ગુમાવ્યા છે. આમ ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ બંનેએ પોતાના વરિષ્ઠ સાંસદો કોરોનામાં ગુમાવ્યા હતા.

સમાચાર મળ્યા છે કે ગુજરાતમાંથી કોંગ્રેસના અહેમદ પટેલ (Senior Congress leader late Ahmed Patel) અને ભાજપના અભય ભારદ્વાજના નિધનથી ખાલી પડેલી રાજ્યસભાની બે બેઠકોની ચૂંટણી પહેલી માર્ચે યોજવામાં આવશે. પહેલી માર્ચે સવારે 9થી 4 વાગ્યા સુધી મતદાન યોજાશે. બંને બેઠકોનું મતદાન અલગ અલગ થશે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top