Madhya Gujarat

જેકોટ ગામે રેલ લાઈન પાસેથી મજૂરની હત્યા કરાયેલી લાશ મળી

       દાહોદ: દાહોદ તાલુકાના જેકોટ ગામેથી પસાર થતાં દિલ્હી મુંબઈ રેલમાર્ગની પાસેથી એક વ્યક્તિની હત્યાં કરાયેલી લાશ મળી આવી હતી. પ્રેમ પ્રકરણને લઇ હત્યા કરી લાશને રેલમાર્ગ ની પાસે ફેંકી દીધું હોવાનું જાણવા મળે છે.

દાહોદ તાલુકાના રામપુરા ગામના મેડા ફળીયાનો રહેવાસી અને ત્રણ બાળકોના પિતા રમુંડાભાઈ મનસુખભાઇ મેડા થોડાક સમય પૂર્વે બાલાસિનોર મુકામે મજૂરી અર્થે ગયો હતો. એક માસ ત્યાં મજૂરીકામ કરી હાલમાં જ પોતાના ઘરે આવ્યો હતો.

રવિવારે દાહોદ જઈને આવું તેમ કહી ઘેરથી નીકળ્યા બાદ મોડી સાંજ સુધી પરત ન આવતા પરિવારજનોએ દાહોદ તાલુકા પોલીસ મથકે જાણ કરતા પોલિસે સવાર સુધી રાહ જુઓ અમે શોધખોળ કરીએ છીએ તેમ જણાવી ઘરે મોકલી દીધા હતા. જોકે સોમવારે તેનો મૃતદેહ જેકોટ રેલવે લાઈન પાસેથી લોહીલુહાણ હાલતમાં મળી આવતા પીએસઆઇ પરમાર સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

પોલિસે એફ.એસ.એલ ની મદદ લઇ લાશનો કબજો મેળવી પીએમ અર્થે નજીકના સરકારી દવાખાને મોકલી આગળની તપાસ હાથ ધરી હતી. જોકે બિન સત્તાવાર રીતે જાણવા મળ્યા મુજબ રમુંડાભાઈ મેડાનું થોડાક સમય પૂર્વે કોઈક યુવતી જોડે પ્રેમ પ્રકરણ ચાલી રહ્યું હતું. જોકે પોલિસે તમામ પાસાઓ પર હાલ ઝીણવટ ભરી તપાસ આદરી છે પરંતુ પીએમ રિપોર્ટ અને પુરી તપાસ બાદ મોતનું સાચું કારણ બહાર આવશે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top