બજારમાં તાજેતરના દિવસોમાં સોનું અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. રેકોર્ડ હાઇ લેવલની સરખામણીએ સોનું લગભગ ₹48,000 સુધી સસ્તુ થયું છે, જ્યારે ચાંદીમાં લગભગ ₹1.81 લાખ પ્રતિ કિલોનો મોટો ઘટાડો નોંધાયો છે. જેના કારણે ખરીદદારો અને રોકાણકારો માટે સોનું-ચાંદી ખરીદવાની અનુકૂળ તક ઉભી થઈ છે.
બજાર નિષ્ણાતોના જણાવ્યા મુજબ હાલમાં 24 કેરેટ સોનાનો ભાવ અંદાજે ₹93,000 પ્રતિ 10 ગ્રામની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે (IBJA આધારિત દર), જ્યારે અગાઉ સોનાનો ભાવ ₹1.40 લાખ પ્રતિ 10 ગ્રામની નજીક પહોંચ્યો હતો. આ રીતે સોનાના ભાવમાં નોંધપાત્ર નરમાઈ જોવા મળી રહી છે. તે જ રીતે ચાંદીના ભાવમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે. અગાઉ ચાંદીનો દર લગભગ ₹2.51 લાખ પ્રતિ કિલો સુધી પહોંચ્યો હતો, જ્યારે હાલમાં તે ઘટીને લગભગ ₹70,000 આસપાસ પ્રતિ કિલો ટ્રેડ થઈ રહ્યો છે. એટલે કે ચાંદી પોતાના ઉચ્ચતમ સ્તરથી લગભગ ₹1.81 લાખ જેટલી સસ્તી થઈ ગઈ છે.
નિષ્ણાતોના કહેવા મુજબ આંતરરાષ્ટ્રીય બજારમાં આવેલા ઉતાર-ચઢાવ, ડોલરની મજબૂતી અને વૈશ્વિક માંગમાં બદલાવના કારણે સોનું-ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. સામાન્ય રીતે વૈશ્વિક બજારના ટ્રેન્ડનો સીધો અસર ભારતીય સરાફા બજાર પર જોવા મળે છે. આ ઉપરાંત તહેવારો અને લગ્નસીઝન નજીક આવતાં ખરીદદારો માટે હાલનો સમય અનુકૂળ માનવામાં આવી રહ્યો છે. 24 કેરેટ સોનાના ભાવમાં થયેલો ઘટાડો લાંબા ગાળાના રોકાણકારો માટે સારો અવસર માનવામાં આવે છે.
સરાફા વેપારીઓના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં પણ સોનું અને ચાંદીના ભાવમાં ઉતાર-ચઢાવ ચાલુ રહી શકે છે. તેથી ખરીદી કરતા પહેલા સ્થાનિક બજારના તાજા દર ચકાસવાની સલાહ આપવામાં આવી છે. હાલના ઘટાડાને કારણે બજારમાં ફરીથી ખરીદદારોની રસદારી વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.