Dakshin Gujarat

ભરૂચમાં કોઠી રોડ પર ત્રણ માળના મકાનનો વચ્ચેનો ભાગ બેસી ગયો

ભરૂચ: માં (Bharuch) કોઠી રોડ (Kothi Road) ઉપર એક ત્રણ મંજલી (Three Floor) જર્જરિત (Old )મકાનનો (Bulding) વચ્ચેનો ગાળો બુધવારે રાત્રે બેસી જતા દોડધામ મચી હતી. ફાયર બ્રિગેડે રસ્તો (Fair Brigade) બંધ કર્યા બાદ ગુરુવારે ખોલી નંખાતાં હવે શુક્રવારે ગણેશ વિસર્જન વચ્ચે લોકોના જીવ જોખમમાં મુકાઈ શકે છે.ભરૂચ સિટી વિસ્તારમાં હજી પણ વર્ષો જુના જર્જરિત મકાનો ધસી પડવાનો સિલસિલો સમયાંતરે જોવા મળી રહ્યો છે. હાલ ચાલી રહેલા ગણેશ મહોત્સવ વચ્ચે બુધવારે રાત્રે કોઠી રોડ ઉપર એક ત્રણ મંજલી મકાનનો વચ્ચેનો ગાળો બેસી જતા દોડધામ મચી હતી.

સલામતીને ધ્યાને લઇ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો

સદનસીબે મકાનમાં કોઈ રહેતું નહિ હોવાથી કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો. જોકે ફાયર બ્રિગેડને આ બનાવની જાણ કરાતા તેઓ તાત્કાલિક દોડી આવ્યા હતા અને બેરીકેટ લગાવી અવરજવર માટે લોકોની સલામતીને ધ્યાને લઇ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો. જોકે આજે ગુરુવારે રસ્તો ફરી ખોલી દેવામાં આવતાં સ્થાનિકોમાં ફરીવાર ફફડાટ ફેલાયો છે. શુક્રવારે ગણેશ વિસર્જન છે અહીંથી ડી.જે. સાથે ગણપતિની સવારીઓ અને મંડળો નીકળશે ત્યારે જો કોઈ દુર્ઘટના સર્જાઈ તો તેની જવાબદારી કોણ લેશે તેવા સવાલ ઊભા થયા છે.ત્રણ મંજલી મકાનનો બેસી ગયેલા ગાળામાં રસ્તા બાજુની જ બીજા માળની દીવાલ બહારની બાજુ આવી ગઈ છે. એવામાં જો ડી.જે. ના અવાજને લઈ જો સમગ્ર મકાન ધસી પડે તો મોટી ઘટના સર્જાઈ શકે તેમ છે. સ્થાનિક રહીશોએ એવા સવાલો ઉઠાવ્યા છે કે, તંત્રે લોકોની સલામતીનો વિચાર કર્યા વગર તેમજ પડું પડું મકાનના કાટમાળને ઉતારીયા વગર કઈ રીતે રસ્તો વાહન વ્યવહાર માટે ખુલ્લો કરી દીધો છે.

દુર્ઘટના સર્જાય તો જવાબદારી કોણ?
ભરૂચ સિટી વિસ્તારમાં હજી પણ વર્ષો જુના જર્જરિત મકાનો ધસી પડવાનો સિલસિલો સમયાંતરે જોવા મળી રહ્યો છે. હાલ ચાલી રહેલા ગણેશ મહોત્સવ વચ્ચે બુધવારે રાતે કોઠી રોડ ઉપર એક ત્રણ મંજલી મકાનનો વચ્ચેનો ગાળો બેસી જતા દોડધામ મચી હતી. સદનશીબે મકાનમાં કોઈ રહેતું નહિ હોવાથી કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો.જોકે ફાયર બ્રિગેડને બનાવની જાણ કરાતા તેઓ તાત્કાલિક દોડી આવી બેરીકેટ લગાવી અવરજવર માટે લોકોની સલામતી ધ્યાને લઇ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો.જોકે આજે ગુરૂવારે રસ્તો ફરી ખોલી દેવામાં આવતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. શુક્રવારે ગણેશ વિસર્જન છે અહીંથી ડી.જે. સાથે ગણપતિની સવારીઓ અને મંડળો નીકળશે ત્યારે જો કોઈ દુર્ઘટના સર્જાઈ તો તેની જવાબદારી કોણ લેશે તેવા સવાલો ઉભા થયા છે.

Most Popular

To Top