Gujarat

‘આઝાદી કા અમૃત મહોત્સવ’: ભારતની સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠની કેન્દ્ર સરકાર દ્વારા ઉજવણી

GANDHINAGAR : આઝાદી કા અમૃત મહોત્સવ ( AMRUT MAHOTSAV) એ ભારતની સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠના ઉપલક્ષમાં કેન્દ્ર સરકાર દ્વારા ઉજવણી અર્થે આયોજિત વિવિધ શ્રેણીબદ્ધ કાર્યક્રમો છે. આ મહોત્સવ જન-ભાગીદારીની ભાવના સાથે જન-ઉત્સવ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે . 12 માર્ચ, 2021ના રોજ અમદાવાદમાં આવેલા સાબરમતી આશ્રમ ( SABARTMATI AAHARAM) થી વડાપ્રધાન નરેન્દ્ર મોદી( PM NARENDRA MODI) (સ્વતંત્રતાની કૂચ)નો પ્રારંભ કરાવ્યો અને ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ઉજવણી માટે વિવિધ અન્ય સાંસ્કૃતિક અને ડિજિટલ ( DIGITAL) પહેલનો પણ પ્રારંભ કરાવ્યો અને સાબરમતી આશ્રમ ખાતે ઉપસ્થિત લોકોને સંબોધિત કર્યા હતા. સવારે 10-30 કલાકથી શરૂ થનારા આ કાર્યક્રમમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, કેન્દ્રીય રાજ્યમંત્રી પ્રહલાદસિંહ પટેલ અને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી ( VIJAY RUPANI) ઉપસ્થિત રહ્યા હતા.

આઝાદી કા અમૃત મહોત્સવ એ ભારતની સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠના ઉપલક્ષમાં કેન્દ્ર સરકાર દ્વારા ઉજવણી અર્થે આયોજિત વિવિધ શ્રેણીબદ્ધ કાર્યક્રમોની ઉજવણી થઈ હતી. . આ મહોત્સવ જન-ભાગીદારીની ભાવના સાથે જન-ઉત્સવ તરીકે ઉજવવામાં આવ્યો. આ ઉજવણી અંતર્ગત યોજવામાં આવનારા વિવિધ કાર્યક્રમોના આયોજન અને તેને લગતી નીતિઓ ઘડવા માટે ગૃહમંત્રીની અધ્યક્ષતામાં એક રાષ્ટ્રીય અમલીકરણ સમિતિનું ગઠન કરવામાં આવ્યું હતું. 15 ઑગસ્ટ 2022ના બરાબર 75 અઠવાડિયા પહેલાં એટલે કે 12 માર્ચ, 2021થી આ પૂર્વાવલોકન પ્રવૃત્તિઓનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં સાબરમતી આશ્રમથી નવસારીમાં દાંડી સુધીની પદયાત્રાનો પ્રારંભ કરાવ્યો . જેમાં 81 પદયાત્રીઓએ ભાગ લીધો અને 25 દિવસ પછી 5 એપ્રિલના રોજ તેઓ 241 માઇલનું અંતર પગપાળા કાપીને દાંડી પહોંચશે. આ પદયાત્રામાં દાંડી સુધીના માર્ગ દરમિયાન લોકોના અલગ અલગ સમૂહો જોડાશે. કેન્દ્રીય મંત્રી પ્રહલાદસિંહ પટેલ આ પદયાત્રામાં શરૂઆતના 75 કિલોમીટર સુધી નેતૃત્ત્વ સંભાળશે. આ પ્રસંગે ફિલ્મ, વેબસાઇટ, ગીતો, આત્મનિર્ભર ચરખો અને આત્મનિર્ભર ઇન્ક્યુબેટર જેવી વિવિધ પ્રવૃત્તિઓને આવરી લેવામાં આવી છે. ઉપરાંત, દેશની અજેય ભાવનાની ઉજવણી કરતા એક સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં સંગીત, નૃત્ય, પઠન, આમુખનું વાંચન (અલગ અલગ ભાષમાં દરેક વાક્ય, જે દેશના અલગ અલગ પ્રદેશોને પ્રસ્તુત કરશે) વગેરે સામેલ કરવામાં આવ્યા છે. યુવા શક્તિને ભારતના ભવિષ્ય તરીકે પ્રસ્તુત કરીને આ કાર્યક્રમ દરમિયાન એક સાથે વિભિન્ન 75 ધ્વનિ અને 75 નર્તકો દ્વારા પરફોર્મન્સ રજૂ કરવામાં આવ્યું હતું. સમગ્ર ભારતમાં 12 માર્ચ, 2021ના રોજ વિવિધ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારો દ્વારા પણ વિભિન્ન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top