National

ભારતમાં એક દિવસમાં કોરોના વાયરસના નવા 59,118 કેસ નોંધાયા

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય(MINISTRY OF HEALTH) ના શુક્રવારે સવારે જાહેર કરવામાં આંકડા મુજબ ભારત(INDIA)માં એક દિવસમાં નવા 59,118 કોરોના વાયરસ(CORONA VIRUS)ના કેસ નોંધાયા છે, જે આ વર્ષે અત્યાર સુધીનો સૌથી વધુ એક દિવસનો આંકડો છે. સક્રિય કેસ લોડ લગભગ સાડા ત્રણ મહિના પછી 4 લાખને પાર કરી ગયો છે.

સતત 16મા દિવસે કેસો વધતાં હવે સક્રિય કેસો વધીને 4,21,066 પર પહોંચી ગયા છે, જેમાં કુલ ચેપના 5.55 ટકા છે, જ્યારે રિકવરી દર ઘટીને 95.090 ટકા થઈ ગયો છે.
સવારે 8 વાગ્યે અપડેટ કરવામાં આવેલા આંકડામાં જણાવાયું છે કે 24 કલાકના ગાળામાં, 59118 નવા ચેપ નોંધાયા છે. 18 ઓક્ટોબર 2020 બાદ આ સૌથી મોટો આંકડો છે. આ જીવલેણ વાયરસથી મૃત્યુની સંખ્યા વધીને 1,60,949 થઈ છે.

18 ઓક્ટોબરના રોજ 24 કલાકના ગાળામાં 61,871 જેટલા નવા કેસ નોંધાયા હતા.
આ રોગમાંથી રિકવરી મેળવનારા લોકોની સંખ્યા વધીને 1,12,64,637 થઈ છે, જ્યારે કેસમાં મૃત્યુદર 1.36 ટકા નોંધાયો છે, એમ આંકડામાં જણાવાયું છે.

ભારતના કોવિડ-19 કેસોની સંખ્યા 7 ઓગસ્ટના રોજ 20 લાખનો આંકડો પાર કર્યો હતો, 23 ઓગસ્ટના રોજ 30 લાખ, 5 સપ્ટેમ્બરના રોજ 40 લાખ અને 16 સપ્ટેમ્બરે 50 લાખનો આંકડો પાર કર્યો હતો. 28 સપ્ટેમ્બરના રોજ 60 લાખ, 11 ઓક્ટોબરે 70 લાખ, 29 ઓક્ટોબરના રોજ 80 લાખ, 20 નવેમ્બરના રોજ 90 લાખ,19 ડિસેમ્બરના રોજ એક કરોડના આંકને વટાવી ગયો હતો. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) ના જણાવ્યા અનુસાર, 25 માર્ચ સુધીના 23,86,04,638 નમૂનાઓનું ગુરુવારે 11,00,756 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. 257 નવી મૃત્યુમાં મહારાષ્ટ્રના 111, પંજાબના 43, છત્તીસગઢના 15, કેરળના 12, તમિળનાડુના 11 અને કર્ણાટકના 10 લોકોનો સમાવેશ છે.

દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,60,949 મૃત્યુ નોંધાયા છે, જેમાં મહારાષ્ટ્રના 53,795, તમિળનાડુના 12,641, કર્ણાટકના 12,471, દિલ્હીના 10,978, પશ્ચિમ બંગાળના 10,316, ઉત્તર પ્રદેશના 8,773 અને આંધ્રપ્રદેશના 7,201 અને પંજાબના 6,517 લોકોનો સમાવેશ થાય છે.
આરોગ્ય મંત્રાલયે ભાર મૂક્યો હતો કે 70 ટકાથી વધુ મૃત્યુ કોમોર્બિડીટીને કારણે થયા છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top