ગાંધીનગર : ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ તથા ગુજરાત ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા તથા ગુજારત ભાજપના સંગઠના સીનીયર અગ્રણીઓએ આજે નવી દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનને મળીને શુભેચ્છાઓ પાઠવી હતી. મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીના કાર્યવાહીમાં ભાગ લેવા માટે બે દિવસથી નવી દ્લ્હી હતા. જો કે આજે સાંજે તેઓ ગાંધીનગર પરત આવી ગયા છે.
નીતિન નબીન ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નિયુક્તિ થતાં ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ સમગ્ર ગુજરાત પ્રદેશ ભાજપા પરિવાર તરફથી હાર્દિક શુભકમનાઓ પાઠવી છે.વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, ‘રાષ્ટ્ર પ્રથમ, પછી પક્ષ અને અંતે સ્વ’ ના આદર્શોને વરેલી ભાજપાને નીતિન નબીનના સંગઠનાત્મક નેતૃત્વમાં નવી ઊર્જા અને ગતિશીલતા મળશે. છેલ્લા બે દાયકામાં સખત મહેનત અને કર્તવ્યનિષ્ઠા સાથે સતત કાર્યરત રહી એક સામાન્ય કાર્યકર્તા થી ભાજપાની રાષ્ટ્રીય અધ્યક્ષની મહત્વપૂર્ણ જવાબદારી સુધીની તેઓની સફર અંત્યંત પ્રેરણાદાયી છે. ભારતીય જનતા પાર્ટી કેડર આધારિત પાર્ટી છે. નીતિન નબીનજીના બહોળા અનુભવથી સંગઠનની બૂથ સ્તરથી રાષ્ટ્રીય સ્તર સુધીની વ્યવસ્થાઓ અને સંગઠનાત્મક કામગીરી વધુ સુદ્રઢ થશે અને ભાજપા સંગઠન વધુ વ્યાપક બનશે.