Vadodara

રોજગાર માટે જગ્યાની માગણી સાથે લારીગલ્લા ધારકોનો વાઘોડિયા સેવાસદને હલ્લાબોલ


દિવાળી ટાણે રોજગારી છીનવાતા, રોજગારી માટે જગ્યાની માંગ કરતા વેપારીઓ

ભુખ હડતાલ પર ઊતરવાની કોંગ્રેસે ચિમકી ઊચ્ચારી

વાઘોડિયા
વાઘોડિયા નગરપાલિકાના વહીવટદાર ઘણા સમયથી વેપારીઓ અને સામાન્ય છૂટક વેચાણ કરી આજીવિકા રળી ખાતા લારી ગલ્લા ધારકો સાથે સંઘર્ષ કરતા હોવાની બુમો ઊઠી રહી છે. દિવાળીના તહેવાર ટાણે નગરપાલિકા અને રેલવે ઘ્વારા દબાણો દુર કરાયા હતા. જોકે પચાસ ઊપરાંત નાના રોજીરોટી રળી ખાતા રેકડી વાડાઓ માટે જગ્યા ફાળવી નહિ આપતા વાઘોડિયા કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ સેવા સદન ખાતે હલ્લા બોલ કરી સૂત્રોચાર સાથે વાઘોડિયા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું.

વાઘોડિયા ધીરજ ત્રણ રસ્તાથી જય અંબે ચાર રસ્તા પર રોડ પરના દબાણોનો સફાયો નગરપાલિકા ઘ્વારા થોડા દિવસો અગાઊ ટ્રાફિક સમસ્યાના કારણે કરવામા આવ્યો હતો, જે બાદ નિરાઘાર બનેલા ખાની પીણી અને છુટક સામાન વેચનાર લારી ઘારકોની આજીવિકા છીનવાઈ ગઈ હતી, બીજી તરફ નગરપાલીકાએ જગ્યા ફાળવણી નહિ કરતા દિવાળીના તહેવારોમા વેપારઘંઘો ગુમાવેલા 50 થી વઘુ લારીગલ્લા ઘારકોએ નવીન જગ્યાની માંગ કરી હતી.વાઘોડિયા તાલુકા કોંગ્રેસ સમિતીના નેજા હેઠળ વાઘોડિયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ નારણભાઈ પટેલ, અને તાલુકા સદસ્ય સહિત કોંગ્રેસી કાર્યકરો સાથે ટોળાએ જયઅંબે ચાર રસ્તા વચ્ચે ભારે સુત્રોચ્ચાર કર્યો હતો,બાદમા વાઘોડિયા સેવાસદન ખાતે પહોંચી મામલતદારને આવેદન પત્ર આપી દિવાળી સુઘી 10 દિવસમાટે જુની જગ્યામા અથવાતો નગર પાલીકા ફાળવી આપે તેવી જગ્યામા રોજગારી કરવા દો તેવી માંગ કરી હતી. દિવાળીના તહેવારો નજીક હોય તેવા સમયે લારી ધારકોના પરિવાર અને પોતે લિઘેલી ઘંઘા અર્થેની લોનો કેવી રીતે ભરપાઈ કરશે તેવી વ્યથા સાથે “જગ્યા આપો તો ઘંઘો કરીએ અથવા દવા આપો, તો મરી જઈએ” તેઓ બળાપો મહિલાઓએ ઠાલવ્યો હતો..રોષે ભરાયેલા ટોળાએ સુત્રોચ્ચાર સાથે નગરપાલીકા સામે રોષ વ્યક્ત કર્યો હતો.l અને મામલતદારને આવેદન પત્ર આપ્યુ હતુ, જો સાંજ સુઘીમા માગ સ્વીકારવામા નહિ આવે તો કાલે ચારરસ્તા વચ્ચે ભુખહળતાલ પર ઊતરી આંદોલન વઘુ ઊગ્ર બનાવાશે તેવી ચિમકી કોંગ્રેસ પ્રમુખ નારણભાઈ પટેલે લારીઘારકો સાથે નગરપાલીકાના વહિવટદાર સામે ઊચ્ચારી હતી.

Most Popular

To Top