SURAT

ઉમરપાડામાં પુત્રએ પરસ્ત્રી સાથે આડા સંબંધની જાણ બાદ પિતાની હત્યા કરી

સુરત: ઉમરપાડાના (Umarpada) ઉમરગોટ ગામે પુત્રએ પિતાની કરપીણ હત્યા (Murder) કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. પિતાના અન્ય સ્ત્રી સાથેના આડા સબંધને લઈ બોલાચાલી બાદ મામલો હત્યા સુધી પહોંચ્યો હોવાનું જાણવા મળ્યું છે. પુત્રએ ચકકુ ના ઘા મારી પિતાને મોતને ઘાટ ઉતારી દેતા ચર્ચાનો વિષય બન્યો છે. આરોપી પુત્રની ઉમરપાડા પોલીસે (Police) અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે.

એ.ડી. સાંબડ (પોલીસ સબ ઇન્સ્પેક્ટર, ઉમરપાડા પોલીસ સ્ટેશન) એ જણાવ્યું હતું કે હત્યારો પુત્ર અનિશભાઈ છત્રસિંહભાઈ વસાવા, ઉ.વ.૩૫, (રહે.ઉમરગોટ ગામ કદવાલી ફળીયુ, તા.ઉમરપાડા જી.સુરત) અને મરનાર છત્રસિંહભાઈ બન્ને એક જ ફર્નિચરની દુકાનમાં સાથે કામ કરતા હતા. એટલું જ નહીં પણ ગામની અન્ય સ્ત્રી સાથે પિતાના આડા સંબંધ હોવાના વહેમમાં અનિષે પિતા પર ચપ્પુથી હુમલો કરી હત્યા કરી હતી. એક નહિ પણ 5-6 ઘા મારતા છત્રસિંહનું તાત્કાલિક મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ બાદ હત્યારા પુત્રની પોલીસે ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.

વધુમાં જણાવ્યું હતું કે અનિષ એ છત્રસિંહનો એકનો એક પુત્ર હતો. હાલ વિધવા પત્નીની ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. ફરીયાદ આપનાર કિર્તીબેન W/o છત્રસિંહભાઈ નારસિંહભાઈ વસાવા, ઉ.વ.55, ધંધો.ઘરકામ, રહેવાસી. ઉમરગોટ ગામ, કદવાલી ફળીયુ, તા.ઉમરપાડા જી.સુરત ની હોવાનું જાણવા મળ્યું છે. જો કે હત્યા ગુરુવારની રાત્રે બની હોવાનું સામે આવ્યું છે.

Most Popular

To Top