Gujarat

રાજ્યની 6 મનપા સહિત 20 જિલ્લામાં કોરોનાના નવા 70 કેસ, વલસાડમાં એક મૃત્યુ

રાજ્યમાં 6 મનપા સહિત 20 જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 70 કેસ નોંધાયા છે. જ્યારે વલસાડમાં વધુ એક કોરોનાના દર્દીનું મૃત્યુ નોંધાયું છે. સાથે જ આજે કોરોનાના 63 દર્દી સાજા થયા છે.રાજ્યમાં સોમવારે અમદાવાદ મનપામાં 13, વડોદરા મનપામાં 11, જામનગર અને સુરત મનપામાં 6-6, રાજકોટ મનપમાં 5, ગાંધીનગર મનપામાં 3, જામનગર ગ્રામ્ય-રાજકોટ ગ્રામ્યમાં 4-4, મહેસાણામાં 3, આણંદ, ગીર સોમનાથ, પોરબંદર, સુરત ગ્રામ્યમાં 2-2, ભાવનગર ગ્રામ્ય, દેવભૂમિ દ્વારકા, કચ્છ, નવસારી, સુરેન્દ્રનગર, વડોદરા ગ્રામ્ય, વલસાડમાં 1-1 નવો કેસ નોંધાયો છે.

જ્યારે વલસાડમાં એક દર્દીનું મૃત્યુ થતાં રાજ્યમાં કોરોનાથી મૃત્યુ થયાનો આંક 10,102 થયો છે. રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસની સંખ્યા 577 છે. જેમાંથી 08 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 569 દર્દી સ્ટેબલ છે. તેવી જ રીતે છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 63 દર્દી સાજા થતાં રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,17,937 દર્દી સાજા થયા છે.

રાજ્યમાં આજે હેલ્થ કેરવર્કર અને ફન્ટ લાઈન વર્કરને પ્રથમ ડોઝ 7 અને બીજો ડોઝ 379, જ્યારે 45 વર્ષથી વધુ ઉંમરનાને પ્રથમ ડોઝ 6,550 અને બીજો ડોઝ 50,985 તેમજ 18-45 વર્ષ સુધીનાને પ્રથમ ડોઝ 22,644 અને બીજો ડોઝ 1,41,153 મળી આજે કુલ 2,21,718 વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં કુલ 8,72,84,752 વ્યક્તિને રસી આપવામાં આવી છે

Most Popular

To Top