Vadodara

નર્મદા પરિક્રમામાં હાર્ટ એટેકથી વડોદરાના 65 વર્ષીય વૃદ્ધનું મોત

નર્મદા પરિક્રમા દરમિયાન વડોદરાના માંજલપુરના પરિક્રમાવાસી હરીશભાઈ મદને ઢળી પડ્યા
ભરૂચ,તા-૨૬
નર્મદા પરિક્રમા કરવા માટે શુક્રવારે વડોદરાના માંજલપુર સુરભી પાર્કમાંથી ૬૩ વર્ષીય હરીશભાઈ ગણપતરાવ મદને કે જેઓ પોતાની પત્ની અને પરિવાર સાથે નર્મદા પરિક્રમા કરવા માટે આવ્યા હતા. ત્યારે આ પરિક્રમા દરમિયાન રાત્રે રસ્તામાં તેઓની તબિયત બગડી હતી. ત્યારે પરિક્રમા માર્ગ પર તૈનાત આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કપિલેશ્વર મંદિર ખાતે સ્થળ પર જ દર્દીની તપાસ કરી તત્કાલિક 1૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવી તેઓને તિલકવાડા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પર હાજર ડોક્ટર દ્વારા દર્દીની તપાસ કરતા મૃત જાહેર કર્યા હતા.
દર્દીનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું હોવાની માહિતી જાણવા મળી છે.ઉલ્લેખનીય એ છે કે તેઓને હાર્ટ અટેક તથા પેરાલિસિસની તકલીફ હતી. તેમ પરિવાર પાસેથી માહિતી મળી છે. ત્યારે પરિક્રમા દરમિયાન ૬૩ વર્ષીય હરીશ મદનેનું મૃત્યુ થતાં પરીજનોમાં શોકનો માહોલ છવાયો છે.

Most Popular

To Top