Madhya Gujarat

સંતરામપુરમાં પરિણીતાનો આપઘાત

આણંદ : સંતરામપુર તાલુકાના ઝાબ કનાવાડા નાયબ ફળીયામાં રહેતી પરિણીતાએ સાસુ, સસરા અને પતિના ત્રાસથી ઘરે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. સંતરામપુરના તલાદરા ગામે રહેતા રૂખીબહેન રૂમાલભાઈ ડામોરની પુત્રી સોનલબહેનના લગ્ન સંતરામપુરના ઝાબ કનાવાડા નાયબ ફળીયામાં રહેતા અનીલ ચંદુભાઈ બારીયા સાથે બે વર્ષ પહેલા થયાં હતાં. તેઓ સાસરીમાં પતિ તથા સાસુ – સસરા સાથે રહેતા હતાં. આ લગ્ન જીવનમાં તેમને એક દિકરી નામે આયુષીનો જન્મ પણ થયો હતો. જોકે, સોનલબહેન ફરી સગર્ભા થયાં હતાં. સોનલબહેન પિયર આવતા તે સમયે ફરિયાદ કરતા હતા કે, પતિ તેને વારંવાર તુ બીજા વ્યક્તિ સાથે આડા સંબંધ ધરાવે છે, તેમ કહી ઝઘડો કરે છે. જોકે, પિયરમાંથી તેને સમજાવીને પરત સાસરીમાં મોકલી આપતાં હતાં. પરંતુ આડા સંબંધમાં વ્હેમમાં સતત ત્રાસ આપી ઝઘડો કરતાં હતાં. દરમિયાનમાં 6ઠ્ઠી એપ્રિલ,22ના  સોનલબહેને મૃત્યું પામ્યા હોવાના ખબર મળ્યાં હતાં. આથી, પિયરમાંથી સૌ તાત્કાલીક ખાનગી વાહનમાં ઝાબકનાવાડા ગામે પહોંચ્યાં હતાં. સોનલબહેનની લાશ જોતા તેના શરીરે ગળાના ભાગે લાલશ પડતો કાપો પડેલો હતો. આ અંગે પુછતા જણાવ્યું હતું કે, ગઇકાલે મોડી સાંજના જમી પરવારી ખેતરમાં સુવા માટે ગયા અને સોનલબહેન તેમના પતિ સાથે ધાબા પર સુધા હતા. તે વખતે ઝઘડો થયો હતો. જેના કારણે રાત્રિના બધા સુઇ ગયા ત્યારે સોનલબહેને જાંબુના ઝાડના ડાળાએ સાડી વડે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે. આ અંગે સંતરામપુર પોલીસ મથકે સોનલબહેનના પતિ અનિલ બારીયા, સસરા ચંદુભાઈ અને સાસુ સુમીબહેન સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top