Dakshin Gujarat

ઢોર ચરાવતી 17 વર્ષની સગીરાની એકલતાનો લાભ લઈ સોનગઢના યુવકે દુષ્કર્મ આચર્યું

વ્યારા: (Vyara) સોનગઢના સાતકાશી ગામે નિશાળ ફળિયામાં રહેતા યુવાને સગીરા (Minor) ઉપર અવારનવાર બળાત્કાર ગુજાર્યો હતો. રૂપિયા અને લગ્ન કરવાની લાલચ આપી સગીરા સાથે તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરતાં તે ગર્ભવતી (Pregnant) બની હતી. આ હવસખોર વિરુદ્ધ સોનગઢ પોલીસમથકે ફરિયાદ નોંધાઇ હતી.

  • સોનગઢમાં રૂપિયા અને લગ્ન કરવાની લાલચ આપી નરાધમે સગીરાને ગર્ભવતી બનાવી
  • દિનેશ વસાવાએ ગામમાં ઢોર ચરાવતી સગીરાની એકલતાનો લાભ લઈ લગ્ન કરવાની લાલચે દુષ્કર્મ આચર્યું હતું

સોનગઢ તાલુકાના સાતકાશી ગામે નિશાળ ફળિયામાં રહેતા દિનેશ ભીલા વસાવાએ આશરે ૧૭ વર્ષની સગીરાને ડરાવી-ધમકાવી અવારનવાર બળાત્કાર ગુજાર્યો હતો. આશરે છ મહિના પહેલાં દિનેશ વસાવાએ ગામમાં ઢોર ચરાવતી સગીરાની એકલતાનો લાભ લઈ લગ્ન કરવાની લાલચે દુષ્કર્મ આચર્યું હતું. ત્યાર બાદ સગીરાની મરજી વિરુદ્ધ રૂપિયા અને લગ્નની લાલચ આપતાં અવારનવાર બળાત્કાર ગુજાર્યો હતો. આમ, સગીરાને ગર્ભ રહી જતાં મામલો બહાર આવ્યો હતો. સગીરાના પરિવારજને સોનગઢ પોલીસમથકે આરોપી દિનેશ ભીલા વસાવા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

એંધલ ગામ પાસે રાજસ્થાનથી મુંબઈ જતી બસમાં મહિલાને પેટમાં દુખાવો થતા મોત
નવસારી : એંધલ ગામ પાસે રાજસ્થાનથી મુંબઈ જતી મહિલાને બસમાં પેટમાં દુખાવો થતા મોત નીપજ્યાનો બનાવ ગણદેવી પોલીસ મથકે નોંધાયો છે. મળતી માહિતી મુજબ, રાજસ્થાનના આસરપુરા ડુંગરપુર બરોદામાં આશાબેન મનોજભાઈ આચાર્ય (ઉ.વ. 32) તેમના પરિવાર સાથે રહેતા હતા. ગત ૨૩મીએ બપોરે આશાબેન રાજસ્થાનથી આશા ટ્રાવેલ્સ એજન્સીની બસમાં બેસી મુંબઈ જવા નીકળ્યા હતા.

દરમિયાન મોડી રાત્રે નેશનલ હાઇવે નં. 48 ઉપર એંધલ ગામ પાસે સમ્રાટ હોટલમાં પાસે આશાબેનને પેટમાં દુખાવો થયો હતો. જેથી બસ પાસેની સમ્રાટ હોટલમાં બસ ઉભી રાખી તેમને તાત્કાલિક સારવાર અર્થે ચીખલી રેફરલ હોસ્પિટલમાં ખસેડયા હતા. જ્યાં હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે તેમને ચકાસીને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે પુષ્પાબેન આચાર્યએ ગણદેવી પોલીસ મથકે જાણ કરતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ પી.એસ.આઈ. એસ.વી. આહિરે હાથ ધરી છે.

Most Popular

To Top