National

આંધ્રપ્રદેશના પલનાડુમાં YSRCP અને TDP કાર્યકર્તાઓ વચ્ચે હિંસક અથડામણ, વિસ્તારમાં 144 લાગુ

નવી દિલ્હી: આંધ્રપ્રદેશમાં (Andhra Pradesh) પલનાડુ (Palanadu) જિલ્લાના માચેરલામાં શ્રેણીબદ્ધ હિંસક (Violent) અથડામણની (clash) ઘટના સામે આવી હતી. આંધ્રપ્રદેશમાં મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીની (CM Jaganmohan Reddy) પાર્ટી YSRCP અને પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુની (Former CM Chandrababu Naidu) પાર્ટી TDPના કાર્યકર્તાઓ વચ્ચે હિંસક ઝડપ થઈ હતી. બંને પાર્ટીના કાર્યકર્તાઓ તરફથી પથ્થરમારો થયો છે. હિંસક અથડામણના કારણે વિસ્તારનું વાતાવરણ ગરમાયું છે. સ્થળ પર તોડફોડ અને આગચંપી કરવામાં આવી છે. કાર્યકર્તાઓએ અનેક વાહનોમાં આગ ચાંપી દીધી હતી. આ ઘટનામાં ઘણા લોકો ઘાયલ થયા હોવાના સમાચાર પણ સામે આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર આંધ્રપ્રદેશમાં મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીની પાર્ટી YSRCP અને તેલુગુ દેશમ પાર્ટી (TDP)ના સમર્થકો વચ્ચે હિંસક અથડામણ થઈ છે. શુક્રવારે 16 ડિસેમ્બર મોડી રાત્રે પલનાડુ જિલ્લાના માચરેલા વિસ્તારમાં બંને પક્ષના સમર્થકો વચ્ચે હિંસા ફાટી નીકળી હતી. આ ઘટનામાં ભારે પથ્થરમારો, તોડફોડ અને વાહનોમાં આગ લગાવવામાં આવી હતી. મોડી રાત્રે હંગામો વધતા સ્થાનિક પ્રશાસને કલમ 144 લગાવી દીધી છે.

આ ઘટનામાં એવું કહેવાય છે કે TDP કાર્યકર્તાઓ માચેરલામાં YSRCP સરકાર વિરુદ્ધ રેલી કરવા જઈ રહ્યા હતા. પાર્ટીના પ્રભારી જુલકંતિ બ્રહ્મા રેડ્ડીના નેતૃત્વમાં ટીડીપી સમર્થકો ‘ઈધેમી ખર્મા’ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા હતા. બંને પક્ષના સમર્થકો વચ્ચે અથડામણ થઈ હતી અને પથ્થરમારો થયો હતો, જેમાં ઘણાને નાની-મોટી ઈજાઓ થઈ હતી.

આ હિંસક ઘટના બાદ પોલીસે ટીડીપી નેતા જુલકંતિ બ્રહ્મા રેડ્ડીની ધરપકડ કરી છે. પલાનાડુના પોલીસ અધિક્ષક Y રવિશંકર રેડ્ડીએ જણાવ્યું હતું કે, “ગુનાહિત ઈતિહાસ ધરાવતા લોકોએ વિરોધમાં ભાગ લીધો હતો અને જાણી જોઈને પથ્થરમારો કર્યો હતો.”

‘છેલ્લા 20-30 વર્ષથી પક્ષપાતી હુમલાઓ થઈ રહ્યા છે
પોલીસ અધિકારી પાસેથી મળતી માહિતી અનુસાર આ બે સમર્થકો વચ્ચેની રાજકીય લડાઈ નથી. આ વિસ્તારમાં છેલ્લા 20 થી 30 વર્ષથી આ પક્ષપાતી હુમલાઓ થઈ રહ્યા છે. આ મામલે કાર્યવાહી કરતા પોલીસે સર્ચ ઓપરેશન પણ શરૂ કર્યું છે. સ્થિતિ હવે નિયંત્રણમાં છે અને આ ઘટનામાં સામેલ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

બંને પક્ષના લોકો સામે કેસ દાખલ
પોલીસ અધિકારી રવિશંકરે જણાવ્યું હતું કે, “વિસ્તારમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. ઘટના બાદ બંને જૂથના નેતાઓ રાજકીય પક્ષોનો ટેકો લઈ રહ્યા છે અને તેમાંથી ઘણા માચેરલા શહેરની આસપાસના ગામોમાં રહે છે. બંને પક્ષો પર કેસ નોંધવામાં આવ્યા છે. તમામ આરોપીઓ સામે ગંભીર કાર્યવાહી કરવામાં આવશે.

જગનમોહન રેડ્ડીની સરકાર વિરુદ્ધ TDP દ્વારા રાજ્યવ્યાપી આંદોલન
તમને જણાવી દઈએ કે તેલુગુ દેશમ પાર્ટી (TDP) વતી જગનમોહન રેડ્ડીની સરકાર વિરુદ્ધ રાજ્યમાં આંદોલન ચાલી રહ્યું છે. માચરેલામાં શુક્રવારે મોડી રાત્રે આ આંદોલન ચાલી રહ્યું હતું. આ દરમિયાન વાયએસઆરસીપીના કાર્યકરો પણ પહોંચી ગયા હતા અને ટીડીપીના કાર્યકરો વચ્ચે હંગામો થયો હતો. થોડી જ વારમાં તે બંને પક્ષો વચ્ચે હિંસક અથડામણમાં ફેરવાઈ ગયું હતું.

Most Popular

To Top