Madhya Gujarat

ડાકોરમાં વૈશાખી પુનમે સવારે 5-15 વાગે મંગળા આરતી થશે

નડિયાદ: સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં આવેલ રાજાધિરાજ શ્રી રણછોડરાયજી મંદિરમાં આગામી તારીખ 16-5-22 ને સોમવારના રોજ વૈશાખ સુદ પુનમ નિમિત્તે દર્શનનો સમય નક્કી કરવામાં આવ્યો છે. ડાકોર મંદિરના મેનેજર તેમજ સેવક આગેવાનો દ્વારા નક્કી કરાયેલાં દર્શનના સમય મુજબ વૈશાખી પુનમના દિવસે વહેલી સવારે પાંચ વાગે મંદિર ખુલી, સવા પાંચ વાગે મંગળા આરતી થશે. જે દર્શન સવારે 8 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. 8 થી 8-30 દરમિયાન બાલભોગ, શણગારભોગ અને ગ્વાલભોગ આરોગવા બિરાજશે. સવારે 8-30 થી 12-30 સુધી દર્શન ખુલ્લા રહેશે. જે બાદ બપોરે 12-30 થી 1 વાગ્યા દરમિયાન ઠાકોરજી રાજભોગ આરોગવા બિરાજશે. જે સમયગાળા દરમિયાન દર્શન બંધ રહેશે. બપોરે 1 થી 2 દરમિયાન દર્શન ખુલ્લા રહેશે. જે બાદ બપોરે 2 વાગે ઠાકોરજી પોઢી જતાની સાથે મંદિર પણ બંધ થશે. જે બાદ સાંજે 3-45 વાગે નિજમંદિર ખુલી, 4 વાગ્યાના અરસામાં ઉત્થાપન આરતીના દર્શન થઈ, નિત્યક્રમાનુસાર શયનભોગ, સખડીભોગ, દૂધભાત આરોગી ઠાકોરજી અનુકુળતાએ પોઢી જશે.

Most Popular

To Top