World

તૂર્કીયેમાં ભારતીય સેનાની હોસ્પિટલની આસપાસના વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા

નવી દિલ્હી: તૂર્કીયેમાં (Turkey) સોમવારની મોડી સાંજના રોજ ભૂકંપના (Earthquake) ઝાટકા અનુભવવામાં આવ્યા હતા. જાણકારી મળી આવી છે કે ભૂકંપના આંચકાઓ એટલા વધારે હતા કે ત્યાંની ઈન્ડિયન આર્મીની હોસ્પિટલમાં (Hospital) તિરાડો પડી ગઈ છે. આ ઉપર અન્ય જગ્યાઓ ઉપર પણ નુકશાન થયું હતું. જાણકારી મુજબ આ ધટના પછી સેનાના જવાનોએ ટેંટનો આશરો લીધો છે. આ ઉપરાંત અન્ય લોકોને પોતાના ઘરમાંથી બહાર નીકળી જવા માટેની અપીલ કરવામાં આવી છે.

જણાવી દઈએ કે હાલમાં જ તૂર્કીયે અને સીરિયામાં મહાવિનાશકરી ભૂકંપ આવ્યો હતો જેમાં ખૂબ મોટા પ્રમાણમાં જાનહાનિ તેમજ માલહાનિ થઈ હતી. હાલ પણ અહીં રેસ્કયુ ઓપરેશન ચાલી રહ્યું છે. તેમજ અત્યાર સુધી અહીં 36000 કરતા પણ વધુ લોકોના મોત થયા હોય તેવી જાણકારી સામે આવી છે. તૂર્કીયેમાં બચાવ અભિયાનમાં ભારતે તૂર્કીયેને ઘણી મદદ કરી છે. NDRFની ઘણી ટીમો મોકલવામાં આવી છે, રાહત સામગ્રી પણ સતત પહોંચાડવામાં આવી રહી છે. ભારતીય સેનાએ તૂર્કીયેમાં પોતાની હોસ્પિટલ પણ બનાવી છે જ્યાં ઘાયલોની સારવાર થઈ રહી છે. કેટલાક અન્ય દેશો પણ તેમના તરફથી તૂર્કીયેને મદદ મોકલી રહ્યા છે.

તૂર્કીયેમાં આ પહેલા પણ અનેક વખત ભૂકંપ આવી ચૂક્યા છે, પરંતુ આ વખતે ભૂકંપ વધુ જોરદાર હોવાથી તેની તીવ્રતા 7ને પાર કરી ગઈ હતી. બે આંચકાએ તૂર્કીયે અને સીરિયાનું ચિત્ર બદલી નાખ્યું હતું. ઈમારતો જમીન દોસ્ત થઈ ગઈ, લોકો કાટમાળ નીચે દટાઈ ગયા અને ઘણા જીવો હંમેશ માટે ખોવાઈ ગયા. 6 ફેબ્રુઆરીએ સવારે 4.17 કલાકે તૂર્કીયેમાં ભૂકંપનો પહેલો આંચકો આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.8 મેગ્નિટ્યુડ હતી. ભૂકંપનું કેન્દ્ર દક્ષિણ તૂર્કીયેમાં ગાઝિયાંટેપ હતું. લોકો તેમાંથી બહાર નીકળી શકે તે પહેલાં, તેના થોડા સમય બાદ બીજો ભૂકંપ આવ્યો, રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.4 મેગ્નિટ્યુડ હતી. ભૂકંપના આંચકાનો આ સમયગાળો અહીં જ અટક્યો ન હતો. આ પછી 6.5ની તીવ્રતાનો બીજો આંચકો આવ્યો હતો. આ આંચકાઓએ માલત્યા, સાનલિઉર્ફા, ઓસ્માનિયે અને દિયારબાકીર સહિત 11 પ્રાંતોમાં વિનાશ સર્જ્યો હતો. સાંજે 4 વાગે ભૂકંપનો વધુ એક આંચકો આવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ આંચકાથી સૌથી વધુ તબાહી થઈ છે. બરાબર દોઢ કલાક બાદ સાંજે 5.30 કલાકે ભૂકંપનો પાંચમો આંચકો આવ્યો હતો.

Most Popular

To Top