Gujarat

સુરત મનપા–વલસાડમાં 3-3 કેસ સાથે રાજ્યમાં કોરોનાના વધુ 14 કેસ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સુરત મનપા અને વલસાડમાં કોરોનાના 3-3 કેસ સાથે કુલ 14 નવા કેસ નોંધાવા પામ્યા છે. જ્યારે આજે વધુ 17 દર્દીઓ સાજા થયા હતા. બીજી તરફ રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 212 છે. જેમાંથી 05 વેન્ટિલેટર પર જ્યારે 207 દર્દીઓ સ્ટેબલ છે. નવા નોંધાયેલા કેસમાં વડોદરા મનપામાં 4, સુરત મનપા- વલસાડમાં 3-3, કચ્છમાં 2, અમદાવાદ મનપા, જૂનાગઢ ગ્રામ્યમાં 1-1 કેસ નોંધાયો છે.

રાજ્યમાં શુક્રવાર સાંજે ચાર વાગ્યા સુધીમાં 01 હેલ્થ કેર વર્કર અને ફન્ટ લાઈન વર્કરને પ્રથમ અને 571ને બીજો ડોઝ તેવી જ રીતે 45 વર્ષથી વધુ ઉંમરના 7,634 વ્યક્તિને પ્રથમ ડોઝ અને 15,970ને બીજો ડોઝ, જ્યારે 18-45 વર્ષ સુધીના 24,045 વ્યક્તિને પ્રથમ ડોઝ અને 41,940ને બીજો ડોઝ મળી વધુ 90,161 વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં કુલ 6,64,21,639 વ્યક્તિને રસી આપવામાં આવી છે.

Most Popular

To Top