Sports

સૌરવ ગાંગુલીએ સંજુ સેમસન વિશે કહી મોટી વાત, T20 વર્લ્ડ કપમાં સામેલ ન કરતા ફેન્સે કર્યા પ્રદર્શન

નવી દિલ્હી: ટીમ ઈન્ડિયા (Team India) હાલ હોમ ગ્રાઉન્ડ પર સાઉથ આફ્રિકા (South Africa) સામે T20 સિરીઝ રમી રહી છે. આ પછી T20 વર્લ્ડ કપ (T20 World Cup) શરૂ થવાનો છે. વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસનનો (Sanju Samson) વર્લ્ડ કપમાં સમાવેશ ન થતાં તેના ચાહકો ગુસ્સે થયા હતા, જ્યારે તિરુવનંતપુરમમાં દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ મેચ યોજાઈ ત્યારે સંજુના ચાહકોએ પણ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન હવે BCCI પ્રમુખ સૌરવ ગાંગુલીએ (Sourav Ganguly) ટીમ ઈન્ડિયામાં સંજુ સેમસનની એન્ટ્રી પર મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.

સૌરવ ગાંગુલીનું કહેવું છે કે સંજુ સેમસન યોજનાનો એક ભાગ છે, તે અત્યારે સારું રમી રહ્યો છે, માત્ર T20 વર્લ્ડ કપનો ભાગ નથી. ગાંગુલીએ કહ્યું કે સંજુ દક્ષિણ આફ્રિકા સામેની ODI ટીમનો પણ હિસ્સો હશે, IPLમાં તેનું સતત પ્રદર્શન અને કેપ્ટનશિપ ચાલુ છે. સંજુ સેમસનને લઈને તેના ફેન્સ ખૂબ જ ભાવુક છે. પહેલા સાઉથ આફ્રિકા સામે ઘરઆંગણે સિરીઝ, પછી જ્યારે સંજુ સેમસનની ટી-20 વર્લ્ડ કપ માટે પસંદગી ન થઈ ત્યારે આ ક્રિકેટ ટ્વિટર પર મોટો મુદ્દો બની ગયો.

જો કે, સંજુએ પોતે કહ્યું છે કે તમામ ખેલાડીઓ ભારત માટે રમી રહ્યા છે, તેથી જેને પસંદ કરવામાં આવે તેણે વધુ સારું કરવું જોઈએ. જો ટીમ ઈન્ડિયા માટે સંજુ સેમસનના કરિયરની વાત કરીએ તો અત્યાર સુધી તે 16 ટી20 મેચમાં 296 રન બનાવી શક્યો છે, જ્યારે 7 વનડેમાં તેણે 176 રન બનાવ્યા છે. હાલમાં જ સંજુ સેમસનને ટીમ ઈન્ડિયા-એનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો, માનવામાં આવી રહ્યું છે કે તે દક્ષિણ આફ્રિકા સામેની ODI શ્રેણીમાં ટીમ ઈન્ડિયાનો વાઇસ કેપ્ટન બની શકે છે.

નોંધનીય છે કે દક્ષિણ આફ્રિકા સામેની વનડે શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની હજુ સુધી જાહેરાત કરવામાં આવી નથી. એવું માનવામાં આવે છે કે શિખર ધવન આ ટીમની આગેવાની કરશે, કારણ કે બાકીના સિનિયર ખેલાડીઓ T20 વર્લ્ડ કપ રમવા ઓસ્ટ્રેલિયા જવા રવાના થશે. આવી સ્થિતિમાં શિખરના નેતૃત્વમાં ટીમ દક્ષિણ આફ્રિકા સામે વન-ડે શ્રેણી રમશે.

Most Popular

To Top