Business

સંગીથા મોબાઈલ ગુજરાતના અમદાવાદમાં 20 નવા સ્ટોર્સ શરૂ કરશે

છેલ્લા 49 વર્ષથી કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ, પોંડિચેરી અને ગોવામાં (Goa) ગ્રાહકોના હૃદયમાં ગુંજતા નામ સંગીથા મોબાઈલ્સે (Sangeetha Mobiles) હવે ગુજરાતના અમદાવાદમાં તેની હાજરી વિસ્તારી છે. 1974ના વારસા સાથે, આ સુપ્રસિદ્ધ બ્રાન્ડે અમદાવાદમાં 20 નવા સ્ટોર ખોલ્યા છે. આ 20 નવા સ્ટોર મોટેરા, ચાંદખેડા, ન્યુ રાણીપ, ધોળકા, વાસણા, નવા નારોલ, ઈસનપુર, મણિનગર, કૃષ્ણનગર-2, વિરાટનગર, મેઘાણીનગર, વસ્ત્રાલ, નવા નરોડા, સ્વસ્તિક ચાર રસ્તા, ઉસ્માનપુરા, આશ્રમ રોડ, ગુરુકુલ, બોડકદેવ, સાઉથ બોપલ અને સાણંદ સહિતના અગ્રણી વિસ્તારોમાં છે જે ગ્રાહકોના ઘર સુધી સંગીથા મોબાઈલની સુવિધા લાવી રહ્યા છે.

સંગીથા અમદાવાદમાં તેના ગ્રાહકો માટે આકર્ષક ઓફરો ધરાવે છે. તેઓ અગ્રણી પ્રાઇસ ડ્રોપ પ્રોટેક્શન પોલિસી ધરાવે છે, જે બજારમાં વિશ્વસનીયતાનું પ્રતીક છે. અવારનવાર નવા મોડલ રિલીઝ અને સ્પર્ધાત્મક કિંમતોને કારણે સતત વધઘટ થતી કિંમતો માટે જાણીતા ઉદ્યોગમાં, સંગીથા એક અનોખી સુરક્ષા પ્રદાન કરે છે. જો ખરીદેલ ફોનની કિંમતમાં ઘટાડો થાય છે, તો સંગીથા વ્યક્તિગત રીતે તેમના ગ્રાહકોનો સંપર્ક કરે છે અને કિંમતના તફાવતની રકમ રિફંડ કરે છે. આ નીતિ 2015માં રજૂ કરવામાં આવી હતી અને તેનાથી 3 લાખથી વધુ ગ્રાહકોને લાભ થયો છે, પરિણામે તેના મૂલ્યવાન ગ્રાહકોને કુલ 33 કરોડનું કેશબેક મળ્યું છે. જો ફોનની કિંમતમાં ઘટાડો થાય તો તફાવતના રકમ રિફંડ કરવાની ખાતરી આપે છે, પછી ભલે તે રૂ. 500નો નજીવો ઘટાડો હોય કે રૂ. 10,000નો નોંધપાત્ર ઘટાડો. દેશમાં ક્યારેય કોઈ આ રીતે તેમના ગ્રાહકોને સેવા આપી શક્યું નથી. સંગીથા મોબાઈલ અકસ્માતે ફોન પડી જવાથી કે લિક્વિડ ડેમેજના લીધે ફિઝિકલ ડેમેજને આવરી લઈને વ્યાપક ડેમેજ પ્રોટેક્શન પણ પ્રદાન કરે છે. આનો અર્થ એ છે કે ગ્રાહકો ખર્ચની માત્ર 30% રકમ ચૂકવીને તેમના ફોનને કોઈ સવાલ પૂછ્યા વિના બદલી શકે છે. બાકીના 70% રકમ સંગીથા ભોગવશે જે ગ્રાહક સંતોષ માટે તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

સંગીથા મોબાઈલના ગ્રાહકો રૂ. 10,000 સુધી કેશબેક આપીને લાભદાયી કેશબેક પ્રોગ્રામનો પણ આનંદ લઈ શકે છે. પ્રથમ રૂ. 5,000 તરત જ જમા થઈ જાય છે, વધારાના રૂ. 5,000 તેમની એપ દ્વારા સુવિધા સાથેની આગામી ખરીદી માટે રિડીમ કરી શકાય છે. વધુમાં, સંગીથા પ્રારંભિક કેશબેક સિવાય રૂ. 7,500 સુધીની કેશબેક ઓફર પ્રદાન કરવા માટે બેંકો અને નાણાંકીય સંસ્થાઓ સાથે સહયોગ કરે છે. મર્યાદિત સમયની ઓફરમાં ફક્ત અમદાવાદ માટે જ, સંગીથા પાવર બેંક, ટ્રીમર અને ઇયરફોન જેવી એસેસરીઝ પર ડીલ્સ ઓફર કરે છે. સંગીથા મોબાઇલ્સ પ્રાઇસ મેચ ગેરંટી ઓફર કરે છે. સંગીથા મોબાઈલ એ સુનિશ્ચિત કરે છે કે જો ગ્રાહકો એમેઝોન અથવા ફ્લિપકાર્ટ જેવા પ્લેટફોર્મ પર કોઈ કિંમતે પ્રોડક્ટ શોધે છે તો તેઓ તે કિંમત સાથે મેળ ખાશે અથવા તો તેને મ્હાત આપશે. વધુમાં, સંગીથા મોબાઈલ 24-મહિનાનો શૂન્ય ટકા વ્યાજના ઈએમઆઈનો વિકલ્પ ઓફર કરે છે જે ગ્રાહકો માટે હાઈ-એન્ડ ફોનને વધુ સસ્તા બનાવે છે.

તેને એક પગલું આગળ લઈ જતા, સંગીથા મોબાઈલ્સ તેમની વેબસાઈટ અને એપ દ્વારા ડિલિવરી સેવાઓ પ્રદાન કરે છે. ગ્રાહકો તેમના ઘરેથી આરામથી ઓર્ડર આપી શકે છે અને મોબાઇલ નિષ્ણાંત પાસેથી બે કલાકમાં ડિલિવરી મેળવી શકે છે. આ સેવામાં ડેટા ટ્રાન્સફર, ગ્લાસ અથવા ફિલ્મ ફિક્સિંગ અને વિવિધ મૂલ્યવર્ધિત સેવાઓનો પણ સમાવેશ થાય છે જે સ્ટોરમાં ખરીદી કરવાના અનુભવને અનુસરે છે. અમદાવાદમાં લોન્ચિંગના અનુસંધાનમાં સંગીથા મોબાઈલ્સ મર્યાદિત સમયગાળા માટે વિશિષ્ટ પ્રમોશન રજૂ કરે છે. ગ્રાહકો પાવર બેંક, ટ્રીમર અને ઈયરફોન સહિત એસેસરીઝ પર નોંધપાત્ર ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકે છે. આ એસેસરીઝ ગ્રાહકના એકંદર શોપિંગ અનુભવને વધારતા, નોંધપાત્ર રીતે ઓછી કિંમતે ઓફર કરવામાં આવે છે.

Most Popular

To Top