Vadodara

ઘોડિયામાં ત્રણ માસનું બાળક તરછોડીને માતાપિતા પલાયન

વડોદરા : નિઝામપુરાની એડો કેસ સંસ્થામાં પાષાણ હૃદયના માતા-પિતાએ પોતાના ત્રણ માસના પુત્રને તરછોડી પલાયન થઈ જતાં સ્થાનિક લોકોએ ફિટકાર વરસાવ્યો હતો. સંસ્થાના સંચાલકો એ પ્રાંગણમાં જ ઘોડીયુ મૂક્યું છે તેમાં મધ રાત્રે કોઈએ ફુલ જેવા માસૂમ બાળક ને ત્યજીને પલાયન થઇ ગયા હતા.ભૂખનું માર્યું બાળક રડી પડતાં સાંભળીને કાર્યકરો દોડી ગયા હતા ફુલ જેવા માસૂમ ને ઊંચકી ને આજુબાજુ તપાસ કરતાં કોઈ મળી આવ્યું ન હતું.બાળક એટલું તંદુરસ્ત અને રૂપાળું છે કે સ્થાનીક કાર્યકરોએ સાર્થક નામ આપ્યું હતું. પોલીસને જાણ કરતા મહિલા પોલીસ દોડી આવી હતી અને પ્રાથમિક પૂછતાછ બાદ પોલીસે સાર્થક નો કબ્જો મેળવીને તબીબી તપાસ અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડયું હતું. પોલીસે તેના માતા-પિતાની તપાસ હાથ ધરી હતી પરંતુ કોઇ ભાળ ન મળતા આવતીકાલે સંસ્થાના સંચાલકોનું નિવેદન લેવાની તજવીજ હાથ ધરાશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.

Most Popular

To Top